ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવતાઓના દેવ ભગવાન મહાદેવ શ્રાવણના સોમવારના વ્રતથી ખૂબ જ પ્રસન્ન થાય છે. આ દરમિયાન જો તમે તમારી રાશિ અનુસાર શ્રાવણના સોમવારે શિવલિંગ પર વસ્તુઓ ચઢાવો છો તો તમને તેનાથી વિશેષ લાભ મળી શકે છે. ચાલો  જાણીએ તેના વિશે.


મેષ - મેષ રાશિના લોકોએ શ્રાવણના સોમવારે શિવલિંગનો જળ, મધથી અભિષેક કરવો જોઈએ. આ ઉપાયને અનુસરવાથી સાધકને ઈચ્છિત ફળ મળે છે.


વૃષભઃ- વૃષભ રાશિના લોકો શ્રાવણના સોમવારે મહાદેવને કાચા દૂધથી અભિષેક કરી શકે છે. આમ કરવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે.


મિથુનઃ- શ્રાવણના સોમવારે મિથુન રાશિના લોકોએ ગંગા જળમાં દુર્વા ચઢાવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી યોગ્ય ફળ મળી શકે છે. 


કર્ક-  કર્ક રાશિના લોકો શ્રાવણ સોમવારના ખાસ અવસર પર કાચા દૂધમાં ખાંડ મિક્ષ કરીને ભગવાન શિવનો અભિષેક કરી શકે છે. આમ કરવાથી વ્યક્તિ માનસિક તણાવમાંથી મુક્તિ મેળવી શકે છે.


સિંહઃ - શ્રાવણના સોમવારે આ રાશિના લોકોએ ભગવાન શિવને કેરીનો રસ ચઢાવવો જોઈએ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરવો જોઈએ. આમ કરવાથી તમે તમારા કરિયરમાં લાભ જોઈ શકો છો.


કન્યા - કન્યા રાશિના લોકોએ શ્રાવણના સોમવારે ગંગાજળમાં બિલિપત્રના પાન મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આ ઉપાયને અનુસરીને તમે તમારી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.


તુલા - શ્રાવણ મહિનામાં ભોલેનાથને જળ, ભસ્મ અને સફેદ ચંદન અર્પણ કરો. આમ કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.


વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકોએ શ્રાવણના સોમવારે ગંગા જળમાં લાલ રંગના ફૂલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આ સાથે ભોલેનાથની કૃપા તમારા પર બની રહેશે.


ધન - શ્રાવણના સોમવારે ધન રાશિના લોકોએ ગંગા જળમાં કેસર મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. તેનાથી તમને વિશેષ લાભ થશે.


મકર - મકર રાશિના લોકોએ શ્રાવણના સોમવારે ગંગાજળમાં કાળા તલ અને બિલિપત્રના પાન મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. આ ઉપાયથી શનિની બાધાઓ દૂર થાય છે, જેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.


કુંભ - કુંભ રાશિના જાતકોએ ગંગા જળમાં કાચું દૂધ મિક્સ કરીને શ્રાવણના સોમવારે ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ. આ સાથે તમે ભાંગ, ધતુરા અને બિલિપત્ર પણ ચઢાવી શકો છો.


મીન રાશિઃ- ભગવાન શિવના વિશેષ આશીર્વાદ માટે મીન રાશિના લોકોએ શ્રાવણના સોમવારે પાણીમાં મધ,  દુર્વા અને અક્ષત ઉમેરીને ભોલેનાથનો અભિષેક કરવો જોઈએ. આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.