Ganesh Sthapana 2022: ગણેશ ઉત્સવ 31મી ઓગસ્ટ 2022થી શરૂ થશે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીના વિસર્જનનો શુભ સમય અને તારીખ  જાણીએ..

Continues below advertisement

ગણેશ ઉત્સવ 31મી ઓગસ્ટ 2022થી શરૂ થશે.  અને તારીખ. 10 દિવસ સુધી એટલે કે 10 દિવસ આ ઉત્સવ ચાલશે.. ગણેશ ચતુર્થીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બાપ્પાના આગમન માટે વિવિધ સ્થળોએ પંડાલ બનાવવામાં આવ્યા છે. ખાસ શણગાર કરવામાં આવે છે. ઘરોમાં ટેબલ પણ બનાવવામાં આવી રહયાં  છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થીથી શરૂ થતા આ તહેવારમાં ઘરે-ઘરે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે, ગણપતિજીની પૂજા કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ભક્તિભાવથી સેવા કરવામાં આવે છે, ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પા પોતાની દુનિયામાં પાછા ફરે છે. ચાલો જાણીએ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીના વિસર્જનનો શુભ સમય અને તારીખ.

ગણેશ ચતુર્થી 2022 સ્થાપના મૂહૂર્ત

Continues below advertisement

ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થી મંગળવાર, 30 ઓગસ્ટ, 2022ના રોજ બપોરે 3.33 વાગ્યાથી શરૂ થશે અને બુધવાર, 31 ઓગસ્ટ, 2022ના બીજા દિવસે બપોરે 3.22 વાગ્યે સમાપ્ત થશે.

ગણેશ સ્થાપના મૂહૂર્ત

  • સવારે 11.05 am - 1.38 pm (31 ઓગસ્ટ 2022)
  • વિજય મુહૂર્ત –- બપોરે 2.34 - 3.25 (31 ઓગસ્ટ 2022)
  • અમૃત કાલ મુહૂર્ત - સાંજે 5.42 - 7.20 (31 ઓગસ્ટ 2022)
  • સંધિકાળ મુહૂર્ત – સાંજે 6.36 - 7.00  (31મી ઓગસ્ટ 2022)
  • રવિ યોગ - 31 ઓગસ્ટ 2022, સવારે 06.06 - 1 સપ્ટેમ્બર 2022, સવારે 12.12 કલાકે
  • ગણેશ વિસર્જન તારીખ - 9 સપ્ટેમ્બર 2022 (અનંત ચતુર્દશી)

ગણેશ ચતુર્થી 2022 બાપ્પાની સ્થાપનાનો મંત્ર

શુભ મુહૂર્તમાં ગણપતિજીની સ્થાપના કરવાથી બાપ્પા ભક્તોના દરેક વિઘ્નો દૂર કરે છે. ઘર કે મંદિરમાં ગણપતિજીની સ્થાપના સમયે આ મંત્રનો જાપ કરો.

અસ્ય પ્રાણ પ્રતિષ્ઠાન્તુ અસ્ય પ્રાણઃ ક્ષરન્તુ ચ । શ્રી ગણપતે ત્વમ્ સુપ્રસ્થ વર્દે ભવેતમ્ ।

ક્ષમા મંત્ર

10 દિવસ સુધી ગણપતિજીની પૂજા અને આરતી કર્યા પછી તેમની પાસેથી અવશ્ય ક્ષમા માગો. આ મંત્ર સાથે બાપ્પા પાસે પૂજામાં થયેલી ભૂલોની ક્ષમા માગો. કહેવાય છે કે ગણેશજીની પૂજામાં અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો આ મંત્રનો જાપ કરવો જોઈએ.