Ganesha Chaturthi 2020: આજે સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. શાસ્ત્રોના મત પ્રમાણે વિધ્નહર્તા ગણેશ ભગવાનનો જન્મ ભાદરવા સુદ ચોથના દિવસે થયો હતો. જેને લઈ આ તિથિને ગણેશના જન્મોત્સવ કે ગણેશોત્સવ તરીકે મનાવવામાં આવે છે.


આ વર્ષે ગણેશ ચતુર્થીએ ગ્રહ-નક્ષત્રોની શુભ સ્થિતિથી સાધ્ય અને રવિયોગ બની રહ્યો છે. તેની સાથે જ હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિમાં ચંદ્ર રહેશે. ખાસ વાત એ છે કે સૂર્ય, મંગળ, ગુરુ અને શનિ આ 4 ગ્રહ પોતાની જ રાશિઓમાં રહેશે. જેથી આ દિવસ વધારે ખાસ બની ગયો છે. ગ્રહ-નક્ષત્રોના આ શુભ સંયોગમાં ગણેશ સ્થાપના થવાથી સમૃદ્ધિ અને સુખ-શાંતિ મળશે. ત્યાં જ, અનેક લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થશે. પદ્મ પુરાણ પ્રમાણે ગણેશજીનો જન્મ મધ્યાહન કાળમાં થયો હતો. એટલે આ સમયે ગણેશ સ્થાપના અને પૂજા કરવી જોઇએ.

ગણેશ સ્થાપનાના મુહૂર્તઃ

સવારેઃ- 7:29 થી 9:45

બપોરેઃ- 2:15 થી સાંજે 4:21 સુધી

સાંજેઃ- 7:42 થી રાતે 9:10 સુધી