શનિદેવના વિવિધ મંત્ર છે. તેમાં બીજ મંત્ર અને સ્તુતિ મંત્ર પણ આવે છે. શનિદેવની કૃપા મેળવવા ધ્યાન પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આ મંત્રનો સારી રીતે પાઠ કરવાથી મનોબળ વધારી શકાય છે. કોર્ટ કચેરીના મામલામાં રાહત મેળવી શકાય છે. કાર્યોમાં ગતિ લાવી શકાય છે.


इन्द्रनीलद्युतिः शूलीवरदोगृध्रवाहनः।

बाणबाणासनधरः कर्त्तव्यार्कसुतस्तथा।।
આ મંત્ર ધ્યાન અવસ્થામાં બોલવો જોઈએ. શનૈઃ શનૈઃ ધ્યાનમાં આગળ વધવાથી આ મંત્ર સ્વયં મૌન જાપની અવસ્થામાં આવી જાય છે. તેનાથી શનિના સકારાત્મક પ્રભાવોમાં ઝડપથી વૃદ્ધિ આવે છે. સાડા સાતી કે ઢૈયાથી પીડિત લોકોએ આ મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ. તેનાથી બેચેની અને માનસિક પરેશાનીથી રાહત મળે છે.

જાપ દરમિયાન ઘેરા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. શનિને પ્રકૃતિ પસંદ હોવાથી વાતાવરણને સહજ પ્રકાશમાં રાખો. શનિવારે આ મંત્રનો જાપ વધારે ફળ આપે છે. ઋણ મુક્તિ, આકસ્મિક અવરોધોથી રાહત મળે છે. મકર સંક્રાતિથી મીન સંક્રાતિ વચ્ચે શનિ ગ્રહનો ઉપાય વિશેષ કારગર રહે છે. હાલ આ સમય 13 ફેબ્રુઆરી, શનિવાર, 2021 સુધી છે.