અમદાવાદ: રાજ્યમાં વેક્સીન લેનારાનો આંક બે લાખને પાર પહોંચ્યો છે. અત્યાર સુધી 2,12,737 લોકોને વેક્સીન આપવામાં આવી છે. રસીથી અત્યાર સુધી કોઈને આડઅસર નથી. શુક્રવારે 56 હજાર 935 લોકોને રસી અપાઈ હતી.


રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 335 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 1 મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4385 પર પહોંચ્યો છે.

ભારતમાં થોડા દિવસ પહેલા દુનિયાના સૌથી મોટા કોરોના વેક્સિનેશનનો પ્રારંભ થઇ ગયો છે અને પહેલા સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કરોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે.