Shani Gochar 2022: હાલમાં શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે જે 29 એપ્રિલથી કુંભ રાશિમાં સંક્રમણ શરૂ કરશે. જાણો કઇ રાશિને શનિની મહાદશામાંથી મુક્તિ મળશે શનિની રાશિ બદલાતા જ. કઇ રાશિના લોકોનો શનિની મહાદશાથી મુક્તિ મળશે.


હાલમાં શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે, જે 29 એપ્રિલથી કુંભ રાશિમાં સંક્રમણ શરૂ કરશે. જાણો કઇ રાશિને શનિની મહાદશામાંથી મુક્તિ મળશે શનિની રાશિ બદલાતા જ.કઇ રાશિના લોકોનો શનિની મહાદશાથી મુક્તિ મળશે.


શનિ એકસાથે 5 રાશિઓ પર પોતાનો પ્રભાવ પાડે છે, જેમાંથી  2 રાશિ પર સાડાસાતી ચાલે છે. તો 2 રાશિ પર પનોતી ચાલી રહી છે.  શનિની પનોતીનો સમય  અઢી વર્ષનો હોય છે અને સાડાશાતી માં સાડા સાત વર્ષ હોય છે. પરંતુ બંને પરિસ્થિતિઓ વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે. હાલમાં શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે જે 29 એપ્રિલથી કુંભ રાશિમાં સંક્રમણ શરૂ કરશે. જાણો કઇ રાશિને શનિની મહાદશામાંથી મુક્તિ મળશે.,,


શનિ 29મી એપ્રિલે કુંભ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તે 29મી માર્ચ 2025 સુધી રહેશે.  આપને  જણાવી દઈએ કે શનિ કોઈ પણ રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. 2022 માં, શનિ રાશિ પરિવર્તનની સાથે જ, ધનુ રાશિના લોકોને શનિ સાડા સતીથી મુક્તિ મળશે. તે જ સમયે, આ મહાદશા ગુરુ ગ્રહની નિશાની મીન રાશિથી શરૂ થશે. તેના  સિવાય મિથુન અને તુલા રાશિના લોકોને શનિની પનોતીથી  મુક્તિ મળશે, જ્યારે કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો તેની પકડમાં રહેશે.


આપને જણાવી દઇએ કે,  શનિદેવ સાડાસાતીના ત્રીજા તબક્કામાં   છે, જેમાં પ્રથમ તબક્કાને ઉદય તબક્કો કહેવામાં આવે છે, આ તબક્કામાં શનિદેવ માનસિક અને આર્થિક પરેશાનીઓ આપે છે. બીજા તબક્કાને શિખર ચરણ ઝ કહેવાય છે, આ તબક્કામાં શનિદેવ માનસિક, શારીરિક અને આર્થિક પરેશાનીઓનું કારણ બને છે. આ તબક્કો શનિ સાડાસાતીનો સૌથી કષ્ટદાયક તબક્કો માનવામાં આવે છે. તેનો ત્રીજો અને છેલ્લો તબક્કો, જેને અષ્ટ ચરણ કહેવામાં આવે છે, આ તબક્કામાં શનિદેવ વ્યક્તિને તેની ભૂલ સુધારવાની તક આપે છે. આ તબક્કામાં વ્યક્તિ પોતાની ભૂલો સુધારીને સાચી દિશામાં આગળ વધે છે.