Shani Gochar 2022 : 29 એપ્રિલે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જાણો કઈ રાશિ માટે  શનિનો શુભ સંકેત આપી રહ્યો છે.


29 એપ્રિલે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જાણો કઈ રાશિ માટે  શનિનો શુભ સંકેત આપી રહ્યો છે.


શનિનું  પરિભ્રણ  ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે જ્યારે પણ આ ગ્રહ પોતાની રાશિ બદલે છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર પડે છે. આ ગ્રહ શુષ્ક અને ઠંડો ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહની અસર ધીમી પરંતુ મજબૂત હોય છે. જો કે વ્યક્તિના જન્મના ગ્રહ પર પણ તેનો શુભ અશુભ પ્રભાવ પડે છે. કુંભ રાશિમાં શનિના પ્રવેશથી  કઇ રાશિને  અસર કરશે અને કઇ રાશિ માટે શુભ રહેશે, જાણીએ..


વૃષભ રાશિ


 આ સમય દરમિયાન તમને તમારી બધી મહેનતનું સંપૂર્ણ સારૂં ફળ મળવાની સંભાવના છે. તમને જોઈતી નોકરી મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ સાથે તમારા સંબંધો સારા રહેશે. આ સમયગાળો તમારા અટવાયેલા કામને ગતિ આપી શકે છે. જો તમારું કોઈ કામ કોઈ કારણસર અટક્યું હોય તો આ સમય દરમિયાન  સફળતા મળવાની પ્રબળ સંભાવના છે.


કન્યા રાશિ


 વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો સારો સાબિત થશે. જે  લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય સારો સાબિત થશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન લાભ મેળવવાની ઘણી તકો આવશે. આર્થિક લાભની દૃષ્ટિએ આ સમયગાળો ઘણો લાભદાયી સાબિત થઈ શકે છે. તમને અચાનક લાભ મળી શકે છે.


તુલા રાશિ


 આ સમય દરમિયાન તમને લાભ મેળવવાની ઘણી સારી તકો મળી શકે છે. જે લોકો પોતાનો વ્યવસાય કરે છે. આ સમયગાળો તેમના માટે અનુકૂળ સાબિત થશે. તમે વ્યવસાયમાં સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરશો અને સારા પૈસા કમાઈ શકશો. આ પરિવહન દરમિયાન વેપારીને સારો લાભ મળી શકે તેવા સંકેત જોવા મળી રહ્યાં છે.


ધન રાશિ


 આ સમયગાળા દરમિયાન તમને આર્થિક લાભ થવાની સંભાવના છે. આવકમાં વધારો થશે. તમે ધનની બચત કરી શકશો.  જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો, તો આ સમય દરમિયાન તમને ઘણી તકો મળી શકે છે. વેપારીઓ માટે પણ આ સમયગાળો  ખૂબ જ સાનુકૂળ સાબિત થશે.


Disclaimer: અહીં આપેલી જાણકારી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP ASMITA  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.