Shani Jayanti 2023 જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની અમાવાસ્યાના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે શનિદેવની આરાધના કરવાથી જીવનના તમામ અવરોધોનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.


જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની અમાવાસ્યાના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે શનિદેવની આરાધના કરવાથી જીવનના તમામ અવરોધોનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.


જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેનો અર્થ છે કે, શનિદેવ જાતકને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. જે વ્યક્તિના સદકર્મ હોય છે તેને  દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને જે વ્યક્તિના ખાતામાં કુર્કમ વધુ હોય તેને અશુભ ફળ મળે છે.  તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે આજે એટલે કે શનિ જયંતિનો દિવસ ખૂબ જ  મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી શનિની સાડાસાતી અને પનોતીની અશુભ અસર ઓછી કરી શકાય છે.


આ રાશિઓમાં  શનિની સાડાસાતી અને પનોતી ચાલી રહી છે


હાલ  પાંચ રાશિઓ એવી છે કે, જેના પર શનિની  કુદષ્ટી પડી રહી છે.  કર્ક અને વૃશ્ચિક રાશિ પર તેની અવકૃપા વરસી રહી છે. મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર પણ શિનની અવકૃપા વરસી રહી છે. . આવી સ્થિતિમાં શનિદેવને કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી રાહત મળે છે..


શનિની પનોતી અસર ઓછી કરવાના ઉપાય


કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોએ શનિ જયંતિના દિવસે ખીચડીનું દાન અવશ્ય કરવું. આ સાથે આ દિવસે કાળી અડદ, સરસવનું તેલ અને ગોળનું દાન કરવાથી પણ  વિશેષ લાભ મળે છે અને શનિ અશુભ પ્રભાવથી બચી શકાય છે.


શનિની સાડાસાતીથી બચવાના ઉપાય


આ સમયે મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર શનિ સતીની અશુભ અસર પડી રહી છે. આવી સ્થિતિમાં શનિ જયંતિના દિવસે શનિદેવની કૃપા મેળવવા માટે સરસવવા તેલના બે બુંદ પાણીમાં નાખીને તે પાણીથી સ્નાન કરો.  આ સાથે દીપકમાં લોખંડ અને કાળાતલનો ટૂકડો જલાવવો જોઇએ.આવું કરવાથી શનિના અશુભ પ્રભાવથી બચી શકાય છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.