Vastu tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં એવી કેટલીક વસ્તુ રાખવાની સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘન, વૈભવ અને ઐશ્નર્યની પ્રાપ્તિ થાય છે. 


વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરનું ઇન્ટિરિયર કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહે છે વાસ્તુ મુજબ જો ઘરમાં સજાવટ કરવામાં આવે તો તેનો પ્રભાવ જીવન અને ભાગ્ય પર સીધો જ પડે છે. તેથી ઘરમાં હંમેશા એવી વસ્તુઓ રાખવી જોઇએ, જેનાથી ભાગ્યમાં વૃદ્ધિ થઇ શકે, અહીં આપણે જાણીશું કે ઘરમાં કેવા પ્રકારીની મૂર્તિ રાખવી બેહદ શુભ મનાય છે. 


વાસ્તુ શાસ્ત્ર મુજબ અનુસાર ઘરમાં હંસ રાખવો શુભ મનાય છે. તેને પ્રેમ અને શાંતિનો પ્રતીક મનાય છે. તેથી ઘરના બેડરૂમ કે ડ્રોઇંગ રૂમમાં હંસની તસવીર કે મૂર્તિ રાખી શકાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ હંસનની તસવીર કે મૂર્તિને ડ્રોઇંગ રૂમ લિવિંગ રૂમમાં રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને સૌહાર્દનો માહોલ સર્જાય છે. પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે. 


ઘરમાં એક્વેરિયમ રાખવું પણ શુભ મનાય છે. તેમાં હંમેશા રંગ બેરંગી માછલી રાખવી જોઇએ, વાસ્તુ અનુસાર રંગબેરંગી માછલી ખુશીઓનું પ્રતીક છે.  ઘરમાં પૂર્વ અથવા ઉત્તર દિશામાં ચાંદીની માછલી રાખવી પણ શુભ મનાય છે. 


ઘરમાં કાચબાની મૂર્તિ કે તસવીર પણ શુભ જ મનાય છે. હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ કાચબો  ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. ઘરના ઉત્તર દિશામાં કાચબાની તસવીર અથવા મૂર્તિ રાખવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. 


ગાય પણ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. ઘરમાં ગાયની મૂર્તિ અથવા તસવીર રાખવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. કહેવાય છે કે, ઘરમાં પીત્તળ કે સફેદ પત્થરની ગાયની મૂર્તિ રાખવાથી પોઝિટિવિટી આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ઊંટનું ચિત્ર કે મૂર્તિ રાખવી પણ શુભ મનાય છે. તેનાથી વ્યાપારમાં સફળતા પ્રાપ્ત થાય છ.


Ratn:પૈસાનો અભાવ દૂર કરવો હોય તો આ   ચમત્કારી રત્ન કરો ધારણ, ધન સંપદામાં મળશે મુક્તિ


દરેક વ્યક્તિને એવી ઇચ્છા હોય છે કે તેનું જીવન સુખ સુવિધા અને વૈભવ સાથે વિતે. ભૈતિક સંપદા માટે મા લક્ષ્મીની કૃપા જરૂરી છે. કેટલીક વખત સખત મહેનત કર્યાં બાદ પણ સુખ સુવિધા નસીબ નથી થતી.ઘનમાં બરકત નથી રહેતી અને વ્યર્થ ખર્ચ થાય છે. 


રત્ન શાસ્ત્રમાં ધન કે પૈસૈ સાથે જોડાયેલા અનેક ઉપાય બતાવવામાં આવ્યાં છે. રત્નસાસ્ત્રમાં કેટલાક એવા રત્નનો ઉલ્લેખ છે. જેને ધારણ કરવાથી જીવનમાં સુખ સુવિધાનો વધારો થાય છે. જાણીએ ક્યાં રત્નો ધારણ કરવાથી સુખ સુવિધામાં વધારો થાય છે. 


સોનેરી રત્ન
રત્નશાસ્ત્ર અનુસાર જો ખોટો ખર્ચ થતાં હોય અને તેના કારણે ધનનો વ્યય થતો હોય તો સોનેરી રત્ન ધારણ કરીને  આ સમસ્યાનો હલ મેળવી શકાય છે. જો ધન ટકતું ન હોય, બરકત ન રહેતી હોય તો સોનેરી રત્ન ધારણ કરી શકાય છે. તેનાથી લક્ષ્ય પ્રાપ્તિ સરળ થઇ જાય છે. 


લીલા રંગનો ઝેડ સ્ટોન
જો કોઇ નવો બિઝનેસ શરૂ કરવા જઇ રહ્યો છો અને  આર્થિક રીતે મજબૂતી ઇચ્છતા હો તો લીલા રંગનો જેડ સ્ટોન ધારણ કરો. કહેવાય છે કે ઝેડ સ્ટોનથી વ્યક્તિ તેના કેમ પર ફોકસ કરી શકે છે. તે બિઝનેસ સંબંધી યોગ્ય નિર્ણય લઇ શકે છે. 


ટાઇગર રત્ન
રત્નશાસ્ત્ર મુજબ ટાઇગર રત્નને ખૂબ પ્રભાવી અને શીઘ્ર ફળનાર  આપનાર છે. કહેવાય છે કે, આ આ કારણે  આ રત્નને ટાઇગર કહેવાય છે.  ટાઇગર રત્ન ધારણ કરવાથી બગડેલા  કામ સુધરવા લાગે છે. 
માક્ષિક રત્ન 
માક્ષિક રત્ન  એક ખનીજ હોય છે. જે ગંધક  સાથે મળીને બને છે. કહેવાય છે કે, તેને ધારણ કરવાથી પૈસા કમાવવાના નવા રસ્તા મળે છે. તેની બનાવટન વાત કરીને તો આ રત્ન કાચ જેવું ચમકદાર હોય છે. રત્નશાસ્ત્ર અનુસાર આ રત્ન આત્મ વિશ્વાસ પેદા કરે છે. 


ગ્રીન એવેંચ્યૂન
રત્ન શાસ્ત્રમાં આ સ્ટોનને વેપારી માટે લાભકારી માનવામાં આવે છે. કહેવાય છે કે, તેને ધારણ કરવાથી પૈસાા કમાવવાના નવા નવા વિકલ્પ મળે છે. આ રત્ને ધન આકર્ષિત થાય છે અને આત્મવિશ્વાસ વધે છે