Ganesh Utsav 2023 હિંદુ કેલેન્ડર અનુસાર, ભાદ્રપદ મહિનાની શુક્લ ચતુર્થીથી દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થાય છે. આ તહેવાર મુખ્યત્વે 10 દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન ભક્તો બાપ્પાને પોતાના ઘરે લાવે છે અને અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને વિદાય આપે છે. ચાલો જાણીએ કે વર્ષ 2023 માં ગણેશ ચતુર્થીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે, શુભ મુહૂર્ત અને અને સ્થાપનાની વિધિ

Continues below advertisement


10 દિવસ સુધી ચાલતા ગણેશ ઉત્સવનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે. જણાવી દઈએ કે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી ગણેશ ઉત્સવ શરૂ થાય છે. ગણેશ ચતુર્થીના દિવસે, ભક્તો ઢોલ વગાડતા અને વિધિવત પૂજા સાથે બાપ્પાને ઘરે લાવવામાં આવે છે.


ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગણેશ ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન ગણેશનો જન્મ શુક્લ પક્ષમાં ભાદ્રપદ મહિનામાં થયો હતો. ગણેશ ઉત્સવને 10 દિવસ સુધી ધામધૂમથી ઉજવ્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને વિદાય આપવામાં આવે છે. ચાલો જાણીએ કે વર્ષ 2023માં ગણેશ ચતુર્થીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે, તારીખ અને શુભ વિધિ?


ગણેશ ચતુર્થી 2023 તારીખ ક્યારે છે?


હિંદુ કેલેન્ડર મુજબ, ભાદ્રપદ મહિનાની શુક્લ ચતુર્થી 18 સપ્ટેમ્બરે બપોરે 02:09  થી શરૂ થશે અને 19 સપ્ટેમ્બરના રોજ બપોરે 03:13 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર, 19 સપ્ટેમ્બર 2023 મંગળવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવશે. ગણેશ મહોત્સવ 10 દિવસ સુધી ચાલે છે.


ગણેશ ચતુર્થીનું પૂજા મુહૂર્ત


પંચાંગમાં જણાવવામાં આવ્યું છે કે ગણેશ ચતુર્થીના દિવસે મધ્યાહ્ન પૂજાનો સમય સવારે 11 થી 01:26 સુધીનો રહેશે. આ ખાસ દિવસે રવિ યોગ બની રહ્યો છે, જે સવારે 06:08 થી બપોરે 03:18 સુધી રહેશે. આ સાથે આ દિવસે સ્વાતિ નક્ષત્રની રચના થઈ રહી છે જે બપોરે 3.18 વાગ્યા સુધી રહેશે.


ગણેશ મહોત્સવની પૂજા વિધિ



  • ગણેશ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો,  પૂજા સ્થળને સાફ કરો. ધ્યાન કરો.

  • ત્યારપછી શુભ મુહૂર્તમાં પૂજા સ્થાન પર પીળા કે લાલ કપડાનું સ્થાપન આપો. મંત્રોના જાપ સાથે ભગવાન ગણેશની સ્થાપના કરો. આ પછી ભગવાન ગણેશની વિધિવત પૂજા કરો.

  • આ પછી ભગવાન ગણેશને હળદર, ચંદન, સિંદૂર, કુમકુમ, નાડાછડી, દુર્વા, ફળ, ફૂલ અને માળા અર્પણ કરો.

  • ભગવાન ગણેશને ભોગ તરીકે મોદક અથવા લાડુ અર્પણ કરો અને અંતે આરતી સાથે પૂજાની સમાપ્તિ કરો.