Ola Scooter Fire:  વાહનમાં આગ લાગવાની ઘટનાઓને પગલે ઓલા ઈલેક્ટ્રીકે તેના ઈલેક્ટ્રિક ટુ વ્હીલરના 1,441 યુનિટ પરત ખેંચ્યા છે. કંપની હજુ પણ પુણેમાં 26 માર્ચે લાગેલી આગની ઘટનાની તપાસ કરી રહી છે અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે એક અલગ ઘટના છે.


કંપનીએ શું કહ્યું


કંપનીએ 1,441 ઈલેક્ટ્રિક સ્કૂટર પાછા મંગાવ્યા છે. આ સ્કૂટર્સનું ઓલા ઈલેક્ટ્રિકના સર્વિસ એન્જિનિયરો દ્વારા પરીક્ષણ કરવામાં આવશે અને તે તમામ બેટરી સિસ્ટમ, થર્મલ સિસ્ટમ તેમજ સેફ્ટી સિસ્ટમમાં સંપૂર્ણ તપાસમાંથી પસાર થશે એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે. કંપનીનું કહેવું છે કે તેની બેટરી સિસ્ટમ પહેલાથી જ ધોરણો મુજબ છે, તેનું AIS 156 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે ભારત માટે નવું પ્રસ્તાવિત ધોરણ છે.


તાજેતરના ભૂતકાળમાં દેશના વિવિધ ભાગોમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે, જેના કારણે EV ઉત્પાદકોને તેમના વાહનો પાછા બોલાવવાની ફરજ પડી છે. આગની ઘટનાઓએ સરકારને પરિસ્થિતિની તપાસ કરવા માટે એક પેનલ બનાવવા માટે પણ પ્રેરિત કરી છે, જ્યારે કંપનીઓને બેદરકારી અથવા ભૂલ માટે દંડનો સામનો કરવા અંગે ચેતવણીઓ આપવામાં આવી છે.


કંપનીના સીઈઓએ શું કહ્યું


ઓલા ઈલેક્ટ્રીકના સીઈઓ ભાવિશ અગ્રવાલે સરકારના પગલાને આવકારતા પ્રતિક્રિયા આપતાં જણાવ્યું, તેમની કંપની દ્વારા ઉત્પાદિત ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આ એક દુર્લભ સમસ્યા હોઈ શકે છે. હું એમ નથી કહેતો કે કોઈ સમસ્યા નથી, પરંતુ અમારો ફિક્સ રેટ શ્રેષ્ઠ પૈકીનો એક છે કારણ કે મોટા ભાગના (આ મુદ્દાઓ) સોફ્ટવેર આધારિત છે, તેમણે કહ્યું. તાજેતરમાં, ઓકિનાવા ઓટોટેકે પણ 3,000 કરતાં વધુ યુનિટ વેચ્યા છે. તેના ઈલેક્ટ્રિક સ્કૂટર્સ PureEV એ લગભગ 2,000 એકમો પરત ખેંચ્યા છે.


આ પણ વાંચોઃ


વર્લ્ડકપ પહેલા ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આ તારીખથી રમાશે ટી20 સીરીઝ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ


IPL 2022: પ્લેઓફ મેચનું શેડ્યૂલ જાહેર, અમદાવાદમાં રમાશે મુકાબલા, 100 ટકા કેપેસિટી સાથે દર્શકોને મળશે એન્ટ્રી


Car loan Information:

Calculate Car Loan EMI