આ બેંક સેવિંગ એકાઉન્ટ પર આપશે 7 ટકા વ્યાજ, મળશે UPIની પણ સુવિધા
એરટેલ મોબાઈલ નંબર યૂઝ કરનાર ગ્રાહક માય એરટેલ એપ દ્વારા પણ પોતાનું બચત ખાતું મેનેજ કરી શકે છે. મોબાઈલ નંબર જ એરટેલ ગ્રાહકોનો એકાઉન્ટ નંબર હશે.
નોન એરટેલ ગ્રાહક પણ એરટેલ રિટેલ આઉટલેટ્સમાં જઈને બચત ખાતું ખોલાવી શકે છે. ખાતું ખોલાવવા માટે તમારે માત્ર તમારો આધાર નંબર આપવાનો રહેશે અને ઈ-વેરીફિકેશન દ્વારા મિનિટોમાં જ તમારું ખાતું ખુલી જશે.
બચક ખાતાની સાથે તમને એક લાખ રૂપિયાનો પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પણ મળે છે. તેની સાથે જ તમે તમારા ખાતામાંથી કોઈપણ બેંકમાં સરળતાથી રૂપિયા ટ્રાન્સફર કરાવી શકો છો.
એરટેલ પેમેન્ટ્સ બેંકમાં તમે 1 રૂપિયો પણ ડિપોઝિટ કરો છો તો તેના બદલમાં તમને ફ્રી ટોકટાઈમ મળે છે. જો તમે 1,000 રૂપિયા તમારા બચત ખાતામાં જમા કરો છો તો તમને 1000 મિનિટનો ફ્રી ટોકટાઈમ મળશે.
અમે વાત કરી રહ્યા છીએ એરટેલ પેમેનટ્સ બેંકની. આ બેંક તમને 7.25 ટકાના દરે વ્યાજ આપશે. એટલું જ નહીં, હવે એરટેલ પેમેન્ટ્સ બેંકે યૂપીઆઈ સર્વિસ પણ શરૂ કરી છે. તેનાથી હવે તમે સરળતાથી અન્ય બેંકમાં અને તમારા સગા સંબંધીઓને ફંડ ટ્રાન્સફર કરી શકો છો. આગળ જાણો એરટેલ પેમેનટ્સ બેંકની સાથે તમને કઈ સુવિધા મળશે.
નવી દિલ્હીઃ હાલમાં જ ભારતીય સ્ટેટ બેંક સહિત અનેક બેંકોએ બચત ખાતા પર મળનારા વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. અનેક બેંક એવી છે જે તમને આજે પણ 4 ટકાના દરે વ્યાજ આપી રહી છે. પરંતુ એક એવી બેંક પણ છે જે બચત ખાતા પર તમને 7 ટકાના દરે વ્યાજ આપશે.