Jioને ટક્કર આપવા BSNL લાવશે 2000 રૂપિયામાં મોબાઈલ, સાથે ફ્રીમાં મળશે આ સર્વિસ
કંપની ત્રણ વર્ષ પછી આ 1,500 રૂ. યુઝરને પરત આપશે, પણ એ માટે શરત એ છે કે ફોન પણ પરત કરવો પડશે. જો યુઝર ફોન પરત નહીં કરે તો પૈસા નહીં મળે. આ ફોન સાથે જિયો લાઇફટાઇમ ફ્રીમાં અનલિમિટેડ કોલની સુવિધા આપી રહ્યું છે.
નોંધનીય છે કે રિલાયન્સ જિયોએ પોતાનો 4જી ફિચર ફોન લોન્ચ કર્યો હતો જેની ડિલીવરી 21 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. કંપની પોતાનો 4જી ફિચર ફોન ફ્રીમાં આપી રહી છે પણ એક શરત પ્રમાણે સિક્યોરિટી તરીકે 1,500 રૂ. આપવા પડશે. આ માટે પ્રી બુકિંગ વખતે 500 રૂ. અને ફોનની ડિલીવરી વખતે 1,000 રૂ. દેવા પડશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે બીએસએનલ પણ સસ્તો ફોન લાવવાની તૈયારી કરી રહ્યું છે. તેના માટે તે ભારતીય મોબાઈલ નિર્માતા લાવા અને માઈક્રોમેક્સ સાથે વાત કરી રહ્યું છે. કંપનીની યોજના છે કે તે દિવાળી સુધી આ ફોનને બજારમાં લાવશે. તેની કિંમત 2000 રૂપિયાની આસપાસ હશે.
એક ટોચના એક્ઝિક્યુટિવે આપેલી માહિતી પ્રમાણે બીએસએનએલના આવનારા ફિચર ફોનની કિંમત 2,000 રૂ.ની આસપાસ હશે. આની સૌથી ખાસ વાત તો એ છે કે આમાં ફ્રી કોલિંગની સુવિધા મળશે. જોકે આ મામલે બીએસએનએલ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એ વિશેની કોઈ જણકારી નથી મળી.