✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શું બેંકમાં જમા તમારા રૂપિયા ડૂબી જશે? સરકારે કરી સ્પષ્ટતા, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Dec 2017 08:07 AM (IST)
1

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે FRDI બિલ એવા બીજા કાયદાઓના મુકાબલે રોકાણકારોને વધારે અનુકૂળ હશે. તેમાં બલે-ઈનની સંવિધાનિક વ્યવસ્થાની જોગવાઈ છે. આ કારણે તેમાં ઋણદાતાઓ અથવા જમાકર્તાઓની અનુમિતિની જરૂર નહીં હોય. આ જોગવાઈ લોકસભામાં ગત 10 ઓગસ્ટ 2017 રજૂ કરવામાં આવ્યો હતો. તેના પર સંયુક્ત સમિતિ વિચાર કરી રહી છે.

2

આ વિધેયકમાં, બેલ-ઇન, એટલે કે નાણાકીય સંસ્થાઓને બહાર લાવવા માટે આંતરિક સાધનો સંબંધી જોગવાઈ અંગેની કેટલાક શંકાને મીડિયામાં વ્યક્ત કરવામાં આવી હતી. આ પછી મંત્રાલયે આ નિવેદન પ્રકાશિત કર્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે, આ બિલમાંથી થાપણદારોના હિતનું રક્ષણ કરવા માટેના વર્તમાન પગલાંમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ આ બિલમાં તેમના હિતો માટે રક્ષણની કેટલીક વધારાની જોગવાઈ પારદર્શક રીતે કરવામાં આવી છે.

3

અરજીમાં કહેવાય છે કે આવી સ્થિતિમાં દેવાળૂં ફૂંકવાની સ્થિતિમાં આવેલી કોઈ બેન્કને બચાવવા માટે સરકારી વ્યક્તિને જમાકર્તાઓનું ધન લગાવવાનો અધિકાર હશે અને તે એમ પણ કહી શકે છે કે બેન્કની તમારા (જમાકર્તા પ્રતિ) કોઈ દેવું નહીં બને.

4

ઉલ્લેખનીય છે કે બિલની વિરુદ્ધ મુંબઈની શિલ્પાશ્રીએ પોતાના હસ્તાક્ષર સાથે એક ઓનલાઈન અભિયાન શરૂ કર્યું છે. નાણામંત્રી અરુણ જેટલીના નામે તેમના દ્વારા કરવામાં આવેલી અરજીમાં 24 કલાકમાં 40 હજારથી વધારે સહી કરવામાં આવી. તેઓ માંગ કરે છે કે આ બિલમાં કોઈ જામીનગીરીની જોગવાઈ ન હોવી જોઈએ. તેમને આશંકા છે કે બેન્કોમાં તેમની કમાણીને સંકટના સમયે બચાવવા માટે આંતરિક ઉપાયમાં જામીનગીરી લગાવી દેવામાં આવશે.

5

નવી દિલ્હીઃ ફાઇનાન્શિયલ રિઝોલ્યૂશન એન્ડ ડિપોઝિટ બિલ (FRDI)ના કારણે લોકોના મનમાં ઉભા થયેલ ચિંતાઓ દૂર કરવા માટે સરકારે મોર્ચો સંભાળ્યો છે. નાણાંમંત્રી અરૂણ જેટલીએ ટ્વીટ કરતાં કહ્યું કે, સરકાર નાણાંકીય સંસ્થાઓ અને બેંકોના ડિપોઝિટર્સના હિતનું સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. સરકાર આ મુદ્દે કાર્યરત છે. તેમણે કહ્યું કે, આ બિલ હાલમાં સ્ટેન્ડિંગ કમિટીની પાસે વિચારાધીન છે.

  • હોમ
  • બિઝનેસ
  • શું બેંકમાં જમા તમારા રૂપિયા ડૂબી જશે? સરકારે કરી સ્પષ્ટતા, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.