ડેબિટ-ક્રેડિટ કાર્ડ, એટીએમ, પીઓએસ અંગે કેન્દ્રનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
કાંતે કહ્યું, વર્ષ 2020 સુધી મારું માનવું છે કે આગામી દોઢ વર્ષમાં ભારતમાં તમામ પ્રકારના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ મશીનો અને પીઓએસ મશીનો બેકાર બની જશે.
કાંતે જણાવ્યુ હતું કે તમામ ભારતીયો ફક્ત 30 સેકન્ડમાં જ પોતાના અંગૂઠાનો ઉપયોગ કરીને ટ્રાજેક્શન કરી શકશે. હાલમાં આપણે જે ચીજોને પ્રોત્સાહન આપી રહ્યા છીએ તે ડિજિટલ પેમેન્ટ છે અને તેનું કારણ ઇનોવેશનના રીતોમાં ખૂબ બદલાવ આવશે.
તેમને કહ્યું, ભારત આજે નાણાં વેપાર અને સામાજિક ઈનોવેશન એમ બંન્ને ક્ષેત્રોમાં ભારે ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહ્યો છે. આ ક્ષેત્રોમાં ઘણું નવું પરિવર્તન જોવા મળી રહ્યું છે અને હાલની જે પરિસ્થિતિ છે. તે ભારતને ઘણી આગળ લઈ જશે. ભારતને આ તમામ ચીજોની જરૂર નહીં રહે. ભારત આ વખતે લાંબી છલાંગ લગાવશે.
નવી દિલ્લી: નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે શનિવારે કહ્યું કે મારુ માનવું છે કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, એટીએમ અને પાંઈટ ઑફ સેલ (પીઓએસ) મશીનો સહિત તમામ 2020 સુધીમાં નકામા બની જશે. કાંત શનિવારે પ્રવાસી ભારતીય સમ્મેલન 2017ના એક સત્રને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે આ વાત કરી હતી.