SBI, BOB પછી હવે AXIS બેંકે ગ્રાહકોને આપ્યો મોટો આંચકો, વ્યાજ દરમાં કર્યો ઘટાડો
નોંધનીય છે કે બેન્ક ઓફ બરોડાએ રૂપિયા 50 લાખ સુધીના બેલેન્સ પરનો વ્યાજ દર ઘટાડી 3.50 ટકા કર્યો છે. કર્ણાટક બેન્કે પણ સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજદર ઘટાડ્યા છે. એસબીઆઈએ પણ બચત ખાતાના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. એસબીઆઈએ 31 જુલાઈથી લાગુ થાય તે રીતે 1 કરોડથી ઓછી રકમમાં બેલેન્સ પર બચત ખાતા ડિપોઝિટ પર વ્યાજ દર 0.5 ટકા ઘટીને 3.5 ટકા કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્સિસ બેન્કે જણાવ્યું હતું કે, બેન્કે રૂપિયા 50 લાખ સુધીના બેલેન્સ પર બચત ખાતાનો વ્યાજદર 0.5 ટકા ઘટાડી 3.50 ટકા કર્યો છે. નવા વ્યાજદર 8 ઓગસ્ટ 2017થી અમલી બન્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં SBIએ રૂ.1 કરોડ અને એથી ઓછા બેલેન્સ પર બચત ખાતાનો વ્યાજદર 0.5 ટકા ઘટાડી 3.5 ટકા કર્યો હતો.
જોકે બેંકે 50 લાખથી વધારેની રકમ બચત ખાતામાં હોય તો વ્યાજ દર જાળવી રાખ્યા છે. તેમને પહેલાની જેમ જ 4 ટકાના દરે વ્યાજ મળશે. આ સાથે જ બચત ખાતાના વ્યાજદરમાં ઘટાડો કરનાર એક્સિસ ચોથી બેન્ક બની છે.
નવી દિલ્હીઃ એસબીઆઈ અને બેંક ઓફ બરોડા બાદ હવે ખાનગી ક્ષેત્રની જાણીતી બેંક એક્સિસ બેંકે ગ્રાહકોનો આપ્યો છે મોટો આંચકો. એક્સિસ બેંકે મંગળવારે 50 લાખ રૂપિયા સુધીના બેલેન્સવાળા બચત ખાતા પરના વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટ (0.5 ટકા)નો ઘટાડો કરીને વાર્ષિક 3.5 ટકા કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -