બાબા રામદેવે શરૂ કર્યો પ્રાઈવેટ સિક્યોરિટીનો બિઝનેસ, 40,000 કરોડ રૂપિયાના બજાર પર છે નજર
તમને જણાવીએ કે વિતેલા કેટલાક વર્ષો દરમિયાન પ્રાઈવેટ સુરક્ષાના બિઝનેસમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. FICCIના એક અભ્યાસ અનુસાર હાલમાં પ્રાઈવેટ સિક્યોરિટીનો કારોબાર 40,000 કરોડ રૂપિયાનો છે. અંદાજ છે કે 2020 સુધી તે 80,000 કરોડ રૂપિયા સુધી જઈ શકે છે.
અહેવાલ અનુસાર, આ કંપનીને પરાક્રમ સુરક્ષા, આપકી રક્ષા સ્લોગન સાથે લોન્ચ કરતાં રામદેવે કહ્યું કે પતંજલિએ લોકોનો યોગ, આયુર્વેદ અને સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે જાગરૂક કર્યા છે. હવે અમારો ઉદ્દેશ લોકોમાં સુરક્ષાની ભાવના જગાવવાનો છે જેના દ્વારા દેશની સુરક્ષામાં યોગદાન કરીશું. ચાલુ વર્ષના અંત સુધી પરાક્રમ સુરક્ષા પ્રાઈવેટ લિમિટેડના એકમ દેશભરમાં હશે.
બાબા રામદેવેના પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સીનું નામ પરાક્રમ સુરક્ષા પ્રાઈવેટ લિમિટેડ હશે. યોગ ગુરુ રામદેવ દ્વારા જારી એક નિવેદન અનુસાર, કંપનીનો ટાર્ગેટ યુવાઓમાં દેશભક્તિની ભાવના જગાવવી અને તાલીમાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે ઉપયુક્ત વાતાવરણ તૈયાર કરવું છે. ઉપરાંત લાખો લોકને રોજગારીની તક પણ મળશે.
નવી દિલ્હીઃ યોગ ગુરુ બાબા રામદેવ હવે FMCG અને આયુર્વેદિક ઉત્પાદનોના કારોબારથી અલગ વિચારતા 40,000 કરોડ રૂપિયાના આકારવાળા પ્રાઈવેટ સિક્યોરિટી બજારમાં ઉતરવાની યોજના બનાવી રહ્યા છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર પતંજલિના સૂત્રોએ જણાવ્યું કે, સેનાના રિટાયર્ડ જવાન અને પોલીસ, પ્રાઈવેટ સિક્યોરિટી તરીકે નિમણૂક પામનાર લોકોને તાલીમ આપશે.