પેટ્રોલ પંપ પર કાર્ડથી ચૂકવણી પર ગ્રાહકોએ નહીં આપવો પડે કોઈ ચાર્જ, બેંક અને ઓઈલ કંપની વહન કરશે
પ્રધાને કહ્યું કે, બેંક અને ઓઈલ કંપનીઓ વિચાર વિમર્સ કરી રહી છે કે આ ચાર્જને કોણ અને કેટલા ભાગે વહન કરશે. મંત્રીએ કહ્યું કે, એમડીઆર ચાર્જ આરબીઆઈના 16 ડિસેમ્બરના દિશા-નિર્દેશો અનુસાર જ લગાવવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પેટ્રોલ પંપો પર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર ટ્રાન્ઝેક્શન ચાર્જ બેંક અથવા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ વહન કરશે.
આ નિર્ણય સ્પષ્ટ છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)નો ભાર ગ્રાહકો પર નહીં નાંખવામાં આવે. તેની સાથે જ પેટ્રોલ પંપ પણ તેની હદમાં નહીં આવે. હવે તે બેંકો અને ઓઈલ માર્કેટ કંપની પર નિર્ભર છે કે તે કેવી રીતે આ ભાર વહન કરશે.
આ મુદ્દે નાણાંકીય સેવા વિભાગે એક બેઠક બોલાવી હતી. બેઠક બાદ ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આ એક વેપારી નિર્ણય છે અને બેંકો અને ઓઈલ કંપનીઓએ જ તેનો નિવેડો લાવવાનો છે. એમડીઆર એક ચાર્જ છે, જે બેં ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ચૂકવણી પર મર્ચન્ટ પર લાગે છે. આ ચાર્જ ગ્રાહક પાસેથી વસુલવામાં આવે છે પરંતુ નોટબંધી બાદ સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે તેને 30 ડિસેમ્બર 2016 સુધી માફી આપી હતી.
ત્યાર બાદ બેંકોએ એમડીઆરનો ભાર પેટ્રોલ પંપ સંચાલકો પર નાંખાનો નિર્ણય કર્યો, કારણ કે સરકારના આદેશને કારણે કાર્ડ દ્વારા પેમેન્ટ કરનાર ગ્રાહકો પર કોઈ ભાર ન નાંખી શકાય. પેટ્રોલ પંપ માલિકોએ ધમકી આપી હતી કે કાર્ડથી પેમેન્ટ લંવાનં બંધ કરશે, ત્યાર બાદ સરકારે સમજૂતીનો રસ્તો કાઢ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -