આરકોમે રૂપિયા 11,000 કરોડમાં કેનેડાની કંપનીને ટાવર બિઝનેસ વેચ્યો
મંગળારે ફિચ રેટિંગ્સે આરકોમનું રેટિંગ ઘટાડ્યું હતું. રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે એરસેલની સાથે જોઈન્ટ વેન્ચર અને ટાવર બિઝનેસ વેચવાની સમજૂતી ધિરાણકર્તા માટે નેગેટિવ છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સે કહ્યું કે, એરસેલની સાથે મર્જર અને ટાવર બિઝનેસને વેચવાથી કંપનીનું દેવું 31 હજાર કરોડ રૂપિયા ઓછું થઈ જશે. આ રકમ કુલ દેવાના 70 ટકા જેટલી થવા જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટાવર બિઝનેસને એક અલગ કંપનીમાં રૂપાંતરિત કરવામાં આવશે અને તેની 100 ટકા માલિકી અને સંચાલન બ્રૂકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સ્વતંત્ર ધોરણે કરવામાં આવશે. અનિલ અંબાણીની કંપની આરકોમ તથા તેમના ભાઈ મુકેશ અંબાણીની 4જી ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ અગાઉ નિર્ધારિત શરતો અને ભાડાંની ચૂકવણી કરી તેનો લાંબાગાળા સુધી ઉપયોગ કરી શકશે.
આ અંગે કંપનીએ જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યાં અનુસાર આ સોદા અંતર્ગત આરકોમને ટાવર કંપનીમાં બી ક્લાસ નોન-વોટિંગ શેર પણ મળશે. કંપની આ સોદામાંથી મળનારી રકમનો ઉપયોગ માત્ર તેના દેવાંની ચૂકવણી માટે કરશે.
નવી દિલ્હીઃ અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) ટાવર બિઝેસ કેનેડાની બ્રુકફીલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેચશે. બુધવારે આ બન્ને કંપની વચ્ચે સમજૂતી થઈ. ડીલથી આરકોમને 11 હજાર કરોડ રૂપિયા મળશે. તેનો ઉપયોગ તે દેવું ઘટાડવા માટે કરશે. કંપની પર હાલમાં અંદાજે 44,000 કરોડ રૂપિયાનું દેવું છે. ડીલ માટે રેગ્યુલેટર્સની મંજૂરી લેવી પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -