જો તમારી પાસે કાર છે તો LPG સબસિડી થઈ શકે છે બંધ
કેન્દ્ર સરકારે સબસિડી માટે ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફરનો વિકલ્પ અપનાવીને 3.6 કરોડ નકલી કનેક્શન રદ્દ કર્યા હતા. તેનાથી સરકારને 30 હજાર કરોડ રૂપિયાની બચત થઈ હતી.
જોકે તમામ કાર માલિકો પાસેથી સબસિડી લેવાનું મોદી સરકાર માટે સરળ નહીં હોય. નિષ્ણાંતોનું માનીએ તો આ કામ ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે તેના માટે કાર માલિકો અને તેના સંબંધિત સરનામા સાથે વેરીફાઈ કરવું પણ જરૂરી છે. જણાવીએ કે હાલનાં સમયમાં એલપીજી ગેસ પર મળનારી સબસિડી સીધા જ તમારા બેંક ખાતામાં જમા થાય છે.
નવી દિલ્હીઃ તમારી પાસે કાર છે અને તમે LPG સબસિડીનો લાભ પણ લ્યો છો તો આ સમાચાર તમારા માટે છે. મોદી સરકાર એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે જેમાં દેશમાં જેટલા લોકો પાસે કાર છે તેની LPG સબસિડી બંદ કરવામાં આવી શકે છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ અનુસાર મોદી સરકાર એલપીજી સબસિડીમાં ખર્ચ થનારા રૂપિયા બચાવવા માટે આ પ્રસ્તાપ પર વિચાર કરી રહી છે. અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સંપૂર્ણ પ્રસ્તાવ તૈયાર કરવા માટે અનેક જિલ્લાની આરટીઓ ઓફિસમાંથી ડેટા લેવામાં આવ્યા છે.
સૂત્રોનું માનીએ તો હાલમાં સમયમાં એવા લોકો સબસિડીનો લાભ લઈ રહ્યા છે જેની પાસે બેથી ત્રણ કાર છે. એવામાં મોદી સરકાર એલપિજી સબસિડીના રૂપિયા બચાવવા માટે આ પગલું ઉઠાવી શકે છે.
વિતેલા વર્ષે કેન્દ્ર સરકારે એવા લોકોની સબસિડી બંધ કરી દીધી હતી જેની વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી વધારે હોય. ઉપરાંત મોદી સરકારે પોતાના સ્તર પર સબસિડી છોડવા માટે પણ લોકોને પ્રોત્સાહિત કર્યા છે. તેના માટે 'Givitup' કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે.