આ તો અવળી ગંગા! નોટબંધી બાદ POS ટર્મિનલ પર ક્રિડેટ-ડેબિટ કાર્ડના વપરાશમાં નોંધાયો ઘટાડો
દેશમાં અત્યારે ૧૫.૧ લાખ POS મશીનો છે, પણ કેશલેસ ટ્રાન્ઝેક્શનને વેગ આપવો હોય તો વધુ ૨૦ લાખ મશીનોની જરૂર પડશે. માત્ર POS મશીનો પર જ ડેબીટ કાર્ડના વપરાશને ધ્યાનમાં લેતા જણાય છે કે એ આંકડો આંબતા લાંબો સમય લાગશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અહેવાલ અનુસાર, નોટબંધી બાદ પ્રતિ ટ્રાન્ઝેકશન વેલ્યુમાં ઘટાડો નોંધાયો છે. દેશમાં માગની સામે ઓછા પ્રમાણમાં POS મશીનો ઉપલબ્ધ હોવાને કારણે આવુ બન્યું હોય એ પણ શકય છે.
ઓકટોબરમાં POS પર પ્રતિ ડેબીટ કાર્ડ ટ્રાન્ઝેકશન માત્ર ૧૫૦૦ રૂપિયાનું હતુ અને એવો વ્યવહાર માત્ર ૧.૩ વખત કરવામાં આવ્યો હતો. એ ગણતરીએ ડેબીટ કાર્ડ ટ્રાન્ઝેકશનનું વાર્ષિક પ્રમાણ આશરે ૨૪,૦૦૦ રૂપિયાનું થાય છે. જો કે મોબાઈલ બેન્કીંગ ટ્રાન્ઝેકશનને મોટી સફળતા મળી હોવાનું આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે. મોબાઈલ બેન્કીંગ ટ્રાન્ઝેકશનનું પ્રમાણ નવેમ્બર ૨૦૧૬માં ૯.૭ ટકા વધીને ૧૨૪૫ અબજ રૂપિયાનું થયુ હતુ. પ્રતિ ટ્રાન્ઝેકશન મૂલ્ય ઓકટોબરના ૧૪,૫૩૬ રૂપિયાથી વધીને ૧૭,૨૦૭ રૂપિયા થયુ હતું.
નવેમ્બરમાં POS પર ડેબિટ અને ક્રેડીટ કાર્ડના વ્યવહારોનું પ્રમાણ મૂલ્યના સંદર્ભમાં ૩૫૨.૪ અબજ રૂપિયાનું હતું. એ પ્રમાણે 13 ડિસેમ્બર સુધીમાં 181.3 અબજ રૂપિયા હતું જ્યારે ઓક્ટોબરમાં આ આંકડો ૫૧૧.૨ અબજ રૂપિયાનો હતો. નવેમ્બરમાં POS પર સરેરાશ ટ્રાન્ઝેકશનનું મૂલ્ય ૧૭૧૪ રૂપિયાનું અને ડિસેમ્બરમાં ૧૬૪૩ રૂપિયાનું હતું. જ્યારે ઓકટોબરમાં એ પ્રમાણ ૨૨૨૯ રૂપિયાનું હતું.
નવી દિલ્હી: નોટબંધી બાદ POS ટર્મિનલ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેકશન મૂલ્યમાં ઘટાડો નોંધાયો છે જે સૂચવે છે કે રોકડ આધારિત અર્થતંત્રમાંથી સંપૂર્ણપણે ડિજીટલ અર્થતંત્ર બનવા માટે દેશે હજી લાંબી મજલ કાપવાની છે. આ વાત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના એક રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -