PANને આધાર સાથે લિંક કરવાની સમય મર્યાદામાં થયો વધારો, જાણો કઈ છે અંતિમ તારીખ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Mar 2018 09:07 PM (IST)
1
ચોથી વખત સરકારે લોકોને તેમના પાનને આધાર સાથે જોડવાની સમય મર્યાદા વધારી છે. સરકારે ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવા તથા નવું પાન કાર્ડ બનાવવા માટે આધાર નંબરને ફરજિયાત કરી દીધો છે.
2
આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઇન્કટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે પાન-આધાર લિંક કરવાની સમય મર્યાદા વધારવામાં આવી છે. સીબીડીટીનો આદેશ હાઇકોર્ટના આ મહિને આવેલા આદેશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોય તેમ માનવાવામાં આવી છે. કોર્ટે આધારને વિવિધ સેવાઓ સાથે લિંક કરવાની સમયમર્યાદા 31 માર્ચથી વધારવાનો આદેશ આપ્યો હતો.
3
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) દ્વારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારીને 30 જૂન કરી દીધી છે. અત્યાર સુધી આ સમય મર્યાદા 31 માર્ચ હતી.
= 3">