આજથી દેશભરમાં બદલાઈ જશે આ પાંચ નિયમો, જાણો વિગત
કોલ રેટમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. કારણ કે ટેલિકોમ રેગ્યૂલટોરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા(TRAI)એ છેલ્લા દિવસોમાં જે ઈન્ટરકનેક્શન ચાર્જ ઘટાડ્યો છે તે આજથી લાગુ થશે. ઈન્ટરકનેક્શન ચાર્જ 14 પૈસા પ્રતિ મિનીટથી ઘટીને 6 પૈસા પ્રતિ મિનીટ થઈ જશે.
પહેલી ઓક્ટબરથી તમામ નેશલ હાઈવે પર ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની શરૂઆત થઈ રહી છે. જો તમે પોતાની ગાડી પર RFID ટેગ લગાવી હશે તો તમારે ટોલ પર રોકાવાની જરૂર નહીં પડે.
જે લોકો પાસે એસબીઆઈમાં મર્જ થયેલી બેંકોની ચેકબુક છે તે બેંકની જૂની ચેકબુક અને IFSC કોડ 30 સપ્ટેમ્બર બાદ માન્ય રહેશે નહીં.
નવી દિલ્લી: આજથી દેશમાં પાંચ મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. SBIના ખાતાધારકોના ખાતામાં મિનિમમ બેલેંસ રાખવાની બાબતમાં થોડી રાહત મળશે. ત્યાં આજથી દેશના તમામ નેશનલ હાઈવે પર ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની શરૂઆત થઈ જશે.
SBIમાં ખાતું બંધ કરવા પર કોઈજ ચાર્જ નહીં લાગે, જો એક વર્ષ જૂનું ખાતું હોય તો. જો કોઈ ખાતું ખોલાવ્યાના 14 દિવસ બાદ અને એક વર્ષ પહેલા અકાઉન્ટ બંધ કરાવશે તો તેણે 500 રૂપિયા અને GST ચાર્જ લાગું પડશે.
ઇન્ટરનેક્શન યૂસેજ ચાર્જ એ હોય છે જેને ટેલિકોમ કંપનિઓ તે બીજી કંપનીને આપે છે, જેના નેટવર્ક પર કોલ પૂરી થાય છે. આઈયૂસી ચાર્જ ઓછો થવા પર હવે ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે હવે ટેલીકોમ કંપનિઓ કોલ રેટ પણ ઓછો કરશે. જો કે હજું સુધી કોઈ કંપનીએ કોલ દર ઘટાડવાની જાહેરાત કરી નથી.
આની અસર એસબીઆઈના પાંચ કરોડ ખાતાધારકો પર થશે. એસબીઆઈના આ ઉપરાંત બેન્કે પેન્શનર્સ, સરકારની સામાજિક કલ્યાણની યોજનાઓના લાભાર્થીઓ તથા સગીર વયના ખાતેદારોને મિનિમમ બેલેન્સની જરૂરિયાતોનું પાલન કરવામાંથી મુક્તિ આપી છે. એપ્રિલમાં પાંચ વર્ષના ગાળા બાદ બેન્કે મિનિમમ એવરેજ બેલેન્સ તથા બેલેન્સ નહીં જાળવવા બદલ દંડની જોગવાઈ લાગુ કરી હતી.
એસબીઆઈએ મેટ્રો શહેરોમાં મિનિમમ બેલેન્સ મર્યાદા 5000 રૂપિયાથી ધટાડી 3000 રૂપિયા કરી દીધી છે. ચાર્જ પણ ઘટાડવામાં આવ્યો છે. પહેલા મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર 40થી 100 સુધી ચાર્જ વસુલમાં હતો અને તેના પર સર્વિસ ટેક્સ પણ લગાવવામાં આવતો હતો પરંતુ આજથી ઘટાડી 30 થી 40 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. નાના શહેરોમાં ગ્રામીણ વિસ્તારમાં મિનિમમ બેલેન્સ મેનટેન નહીં કરવા પર 25થી 75 રૂપિયાનો ચાર્જ લાગતો હતો જેને ઘટાડીને 20થી 40 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.