સર્વિસ ચાર્જમાં હવે છૂટ મળશે કે નહીં? ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં પહેલા જાણો આ મહત્ત્વની વાત
ઉપરાંત હવે એટીએમના ઉપયોગની મર્યાદમાં પણ પૂરી કરી દેવામાં આવી છે. હવે જે બેન્કનું એટીએમ કાર્ડ હોય તે જ બેન્કના એટીએમમાં પાંચ વખત મફત પૈસા ઉપાડી શકાશે. જેમાં બેલન્સ ઇન્ક્વાયરી જેવા અન્ય ઉપયોગનો પણ સમાવેશ થાય છે. અન્ય બેન્કના એટીએમમાંથી 3 વખત મફતમાં પૈસા ઉપાડી શકાશે ત્યાર બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂપિયા 20નો ચાર્જ અને સર્વિસ ટેક્સ પણ લાગશે.
2000 રૂપિયાથી વાદરે માટે પહેલાની જે જ ચાર્જ લાગશે. એટલે કે 1 ટકા સર્વિસ ચાર્જ. એટલે કે 2500 રૂપિયાની ખરીદી પર 25 રૂપિયા સર્વિસ ચાર્જ આપવો પડશે. સપ્ટેમ્બર 2012માં નક્કી કરવામાં આવેલી વ્યવસ્થા અનુસાર 2000 રૂપિયા સુધીની ખરીદી પર એમડીઆર કુલ ખરીદ કિંમતના 0.75 ટકાથી વધારે નહીં હોય જ્યારે 2000 રૂપિયાથી વધારેની ખરીદી પર વધુમાં વધુ એક ટકા સર્વિસ ચાર્જની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.
છૂટ ખતમ થયા બાદ ડેબિટ કાર્ડ પર 1000 રૂપિયાની લેવડ દેવડ પર 0.25 ટકા એટલે કે વધુમાં વધુ અઢી રૂપિયાનું સર્વિસ ચાર્જ લાગશે. 1000થી 2000 રૂપિયા સુધીની લેવડ દેવડ પર સર્વિસ ચાર્જ વધુમાં વધુ 0.5 ટકા હશે. એટલે કે 2000 રૂપિયાની લેવડ દેવડ પર 10 રૂપિયા સર્વિસ ચાર્જ આપવો પડશે. મહત્વની વાત એ છે કે આ રેટ 31 માર્ચ સુધી લાગુ રહેશે. સર્વિસ ચાર્જના નવા રેટ એટીએમથી લેવડ દેવડ પર લાગુ નહીં થાય.
ક્રેડિટ કાર્ડ પર પહેલાની જેમ જ અઢી ટકા સુધી સર્વિસ ચાર્જ લાગશે. એટલે કે 1000 રૂપિયાની ખરીદી પર 25 રૂપિયા ચાર્જ આપવો પડશે. ક્રેડિટ કાર્ડ અથવા ડેપિટ કાર્ડ બન્ને પર 2000 રૂપિયા સુધીની લેવડ દેવડ પર સર્વિસ ટેક્સમાં છૂટ જારી રહેશે.
નવી દિલ્હીઃ નવા વર્ષમાં તમરા ગજવા પર વધુ માર પડવાનો છે. ડેબિટ કાર્ડ પર આજથી ચાર્જ લાગવાનું શરૂ થઈ જશે. નોટબંધી બાદ ડેબિટ કાર્ડને તમામ ચાર્જમાંથી ફ્રી કરવામાં આવ્યું હતું પરંતુ જાન્યુઆરીથી ચાર્જ લગાવવાનું શરૂ થયું છે. સર્વિસ ચાર્જ આજથી લાગવાનું શરૂ થયું છેપરંતુ સર્વિસ ટેક્સ પર છૂટ જારી રહેશે.