જો આ કામ કર્યું તો હવે EPF વ્યાજ પર પણ ભરવો પડશે ટેક્સ
બીજી તરફ રિટાયર્ડ કર્મચારી માટે નિયમ થોડો અલગ છે. જો કોઈ વ્યક્તિ 55 વર્ષની ઉંમર બાદ નિવૃત્ત થાય અને પોતાનું ઈપીએફ એકાઉન્ટનું વિડ્રોલ ન કરે અથવા બેલેન્સ ટ્રાન્સફર ન કરે તો તેના રિટાયરમેન્ટની તારીખથી ત્રણ વર્ષ બાદ તેના ઈપીએફ એકાઉન્ટને ‘ઇનઓપરેટિવ’ કેટેગરીમાં મૂકવામાં આવે છે. આ કેટેગરીનાં ખાતાં પર કોઈ વ્યાજ મળતું નથી. તેની પર મળનારા વ્યાજદરની જાહેરાત દર વર્ષે થાય છે. 2016-17 માટે આ દર 8.56 ટકા હતો, જ્યારે ચાલુ નાણાકીય વર્ષ માટે આ દરોની જાહેરાત બાકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇનકમ ટેક્સ એપલેટ ટ્રિબ્યુનલ (TAT)ની બેંગલુરુ બેન્ચે એક નિવૃત્ત કર્મચારીના મામલે સુનાવણીમાં આ આઈટી જોગવાઈને યથાવત્ રાખી હતી. ઈવાય ઇન્ડિયામાં પાર્ટનર અને ઇન્ડિયા મોબિલિટી લીડર અમરપાલ ચડ્ડાએ જણાવ્યું કે, ‘નોકરી બાદ, ભલે તમે નિવૃત્ત થઈ ગયા હોવ, નોકરી છોડી દીધી હોય અથવા તમને બરતરફ કરવામાં આવ્યા હોય, ઘણી વાર કર્મચારી પોતાનું ઈપીએફ ચાલુ રાખે છે અને તેની પર મળતું વ્યાજ લે છે. દુર્ભાગ્યવશ, તેમને એ વાતની જાણકારી હોતી નથી કે, નોકરી ન કરવાની સ્થિતિમાં ઈપીએફ પર મળનારા વ્યાજ પર ટેક્સ પણ લાગે છે.’
બેંગલુરુઃ જો તમે નોકરી છોડી દીધી છે અને તમારું ઈપીએફ એકાઉન્ટ એક્ટિવ છે તો તેના પર મળનારા વ્યાજ પર તમારે ટેક્સ આપવો પડશે. ઇનકમ ટેક્સ એપલેટ ટ્રિબ્યૂનલની બેંગલુરુ બ્રાન્ચે આ નિર્ણય આપ્યો છે. ઈપીએફ પર મોટો નિર્ણય આપતા ઇનકમ ટેક્સ એપલેટ ટ્રિબ્યૂનલે કહ્યું કે, નિવૃત્તી બાદ એક્ટિવ ઈપીએફ ખાતા પર પણ ટેક્સ લાગશે. તમને જણાવીએ કે નિવૃત્તીનાત્રણ વર્ષ બાદ ઈપીએફ પર વ્યાજ નથી મળતું.
આઈટીએટીના નિયમ મુજબ, આ નિયમ માત્ર નિવૃત્ત લોકો જ નહિ, પણ કોઈ પણ કારણથી નોકરી છોડનારા લોકો પર પણ લાગુ પડે છે. ગયા વર્ષે નવેમ્બરમાં જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જ્યારે કોઈ કર્મચારી પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દે અથવા નોકરીમાંથી બરતરફ કરાય તો ત્યાર બાદ તેનું ઈપીએફ એકાઉન્ટ ‘ઓપરેટિવ’ કેટેગરીમાં આવી જાય છે અને એકાઉન્ટ સક્રિય હોય ત્યાં સુધી તેને તેની પર વ્યાજ મળતું રહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -