✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નોકરીયાત વર્ગને વધુ એક ફટકો, EPFOના વ્યાજદરમાં થયો ઘટાડો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Feb 2018 08:01 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે ઈપીએફઓ દ્વારા 2016-17 માટે 8.65% વ્યાજદર નક્કી કરવામાં આવ્યો હતો. જે 2015-16માં 8.8% હતો. એટલે કે સતત બીજા વર્ષે વ્યાજ દર ઘટાડવામાં આવ્યો છે. બજેટમાં પણ નોકરીયાત અને મધ્યમ વર્ગને સરકારે કોઈ મોટી રાહત આપી નથી. ઇન્કમ ટેક્સ સ્લેબમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી ઈપીએફઓના આ ફેંસલાથી નોકરીયાત વર્ગ નિરાશ થશે તે નક્કી છે.

2

ઈપીએફઓ નાણાંકીય વર્ષ 2017-18 માટે જૂનો વ્યાજ દર જાળવી રાખશે તેવી આશા વ્યક્ત કરવામાં આવતી હતી. ઈપીએફઓના ઇક્વિટી પોર્ટફોલિયોમાં ઠીકઠાક પ્રોફિટ બુકિંગ હોવાના કારણે આમ માનવામાં આવતું હતું. આ ઉપરાંત ઈપીએફઓ દ્વારા ચાલુ મહિને 2886 કરોડ રૂપિયાના એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ વેચ્યા છે. પરંતુ સરકારે વ્યાજદરમાં ઘટાડો કર્યો હોવાથી નોકરિયાત વર્ગમાં નારાજગી છે.

3

નવી દિલ્હીઃ દેશમાં નોકરીયાત લોકો માટે માઠા સમાચારા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા વર્ષ 2017-18 માટે વ્યાજદર ઘટાડવામાં આવ્યા છે. સરકારે ચાલુ વર્ષ માટે 8.55% વ્યાજ દર નક્કી કર્યો છે, જે ગત વર્ષે 8.65% હતો. પ્રોવિડેન્ટ ફન્ડ ડિપોઝિટ પર વ્યાજનો આ ફેંસલો બુધવારે ઈપીએફઓની સેન્ટ્રલ બોર્ડના ટ્રસ્ટીઓની બોર્ડ મીટિંગમાં લેવામાં આવ્યો.

  • હોમ
  • બિઝનેસ
  • નોકરીયાત વર્ગને વધુ એક ફટકો, EPFOના વ્યાજદરમાં થયો ઘટાડો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.