✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડિસેમ્બર સુધીમાં UPના દરેક ગામમાં જિયો પહોંચશે, યોગી આદિત્યનાથ છે કર્મયોગીઃ મુકેશ અંબાણી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Feb 2018 03:49 PM (IST)
1

મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ગ્રુપ દરેક સ્તર પર ઉત્તર પ્રદેશની મદદ કરવા તૈયાર છે. મને યુપીની સેવા કરવાનો મોકો મળ્યો તે મારા માટે મહત્વપૂર્ણ છે. તેમણે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને કર્મયોગી ગણાવ્યા.

2

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની ફાઇલ તસવીર.

3

મુકેશ અંબાણીએ કહ્યું કે, આ નવું ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશ ઉત્તમ પ્રદેશ બને તેવું મોદીનું સપનું છે. યુપી આગળ વધશે તો દેશ ગ્લોબલ પાવર બનશે. અંબાણીએ કહ્યું કે, વડાપ્રધાને મને પૂછ્યું હતું કે શું આ સપનું પૂરું થશે. હું કહું છું કે સપનું જરૂર પૂરું થશે અને આપણે બધા મળીને પૂરું કરીશું.

4

મુકેશ અંબાણીએ કહ્યું કે, જ્યારે મુખ્યમંત્રી મુંબઈ આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશને આગળ લઈ જવું છે. જિયોને યુપીના દરેક ગામ સુધી પહોંચાડવું છે. અમે યુપીના દરેક ગામમાં જિયો પહોંચાડવાનો ફેંસલો લીધો છે. ડિસેમ્બર સુધી દરેક ગામને અમે જિયો કનેક્ટિવિટી સાથે જોડી દઇશું.

5

લખનઉઃ યુપી ઇન્વેસ્ટર્સ સમિટના ઉદ્ઘાટન સત્રમાં બોલતા રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ ઉત્તર પ્રદેશએ મોટું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, જિયોમાં 10,000 કરોડનું રોકાણ કરવાની સાથે યુપીમાં એક લાખ લોકોને રોજગારી આપીશું.

  • હોમ
  • બિઝનેસ
  • ડિસેમ્બર સુધીમાં UPના દરેક ગામમાં જિયો પહોંચશે, યોગી આદિત્યનાથ છે કર્મયોગીઃ મુકેશ અંબાણી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.