✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નોટબંધી વખતે ખાતામાં બે લાખ જમા કરાવેલા ? તો આ સમાચાર છે તમારા માટે મહત્વના, જાણો કેમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Feb 2017 10:10 AM (IST)
1

2

3

નાણા મંત્રાલયે સીબીડીટીને સ્પષ્ટ રીતે કહ્યુ છે કે, પ્રાથમિક તપાસ બાદ જ નોટબંધી દરમિયાન બે લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરાવનારને મેસેજ કે ઇ-મેઇલ મોકલવામાં આવે. ઉલ્લેખનીય છે કે આઇટી વિભાગે નોટબંધી બાદ ૧૮ લાખ લોકો દ્વારા બેંક ખાતાઓમાં ૪.પ લાખ કરોડથી વધુના શંકાસ્પદ ખાતાઓની તપાસ કરી હતી.

4

આઇટી વિભાગને આ પ્રકારના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ બ્લેકમનીને વ્હાઇટ કરવા ઉપયોગ થયો હોવાની આશંકા છે. તે સિવાય આવા બેન્ક એકાઉન્ટના બે વર્ષના ટ્રાજેક્શન પર તપાસ કરવામાં આવશે જેથી આ ખાતામાં કેટલી લેવડ-દેવડ થઇ છે તે જાણી શકાશે.

5

આઇટી વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે, સરકારની આ જાહેરાત બાદ આઇટી વિભાગના રડારમાં ના આવવા માટે લોકોએ અઢી લાખથી ઓછીની રકમ જમા કરાવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે આ બધા બેંક એકાઉન્ટમાં જમા રકમ અને તેઓની આવકના સ્ત્રોતને ચેક કરવામાં આવશે. અને જો કોઇ ગરબડ લાગશે તો તેઓને નોટિસ આપવામાં આવશે.

6

જોકે, અગાઉ સરકારે કહ્યુ હતુ કે, નોટબંધી દરમિયાનના એવા બેંક ખાતાની તપાસ કરવામાં આવશે અને એવા લોકોની આવકનો હિસાબ-કિતાબ માંગવામાં આવશે જેમણે પોતાના સેવિંગ બેંક એકાઉન્ટમાં અઢી લાખ કે તેથી વધુની રકમ જમા કરાવી હોય પરંતુ હવે આયકર વિભાગ બે લાખ જમા કરાવનાર લોકોને મેસેજ મોકલી હિસાબ-કિતાબ માંગવાની તૈયારી કરી રહ્યુ છે.

7

એક રિપોર્ટ પ્રમાણે, બેન્ક એકાઉન્ટ્સની તપાસ દરમિયાન આઇટી વિભાગને ચોંકાવનારા આંકડાઓ પ્રાપ્ત થયા છે. તે અનુસાર, એક કરોડ બેન્ક એકાઉન્ટમાં બે લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. આ રકમનો આંકડો 10 લાખ કરોડ રૂપિયા થવા જાય છે.

8

અમદાવાદઃ નોટબંધી દરમિયાન પોતાના બેન્ક ખાતામાં બે લાખ રૂપિયા કે તેનાથી વધુ રૂપિયા જમા કરાવ્યા હોય તેવા લોકોને ઇન્કટેક્સ વિભાગ મેસેજ અને ઇમેઇલ મોકલીને આવકના સ્ત્રોતનો હિસાબ માંગી શકે છે. આ અગાઉ સરકારે કહ્યું હતું કે, નોટબંધી દરમિયાન અઢી લાખથી ઓછી રકમ જમા કરાવનારા લોકોની કોઇ પૂછપરછ કરવામાં આવશે નહીં.

  • હોમ
  • બિઝનેસ
  • નોટબંધી વખતે ખાતામાં બે લાખ જમા કરાવેલા ? તો આ સમાચાર છે તમારા માટે મહત્વના, જાણો કેમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.