US ફેડરલે વ્યાજ દરમાં કર્યો 0.25 ટકાનો વધારો, શેરબજારમાં કડાકાની આશંકા
જાણકારોના કહેવા પ્રમાણે, એશિયાના અન્ય બજારોની સરખામણીએ ભારતના શેરબજારો ઓવર-વેલ્યુડ્ છે. જેથી એક કરેકશન શક્ય છે. જો ફેડરલ રિઝર્વનો આઘાત ભારતીય શેરબજારો પચાવી જાય તો પણ અન્ય ત્રણ પરિબળો અસર કરી શકે છે.
ફેડરલ બેન્કે વ્યાજના દરોમાં વધારો કરતા વિદેશી રોકાણકારો ભારતમાંથી નાણા પાછા ખેંચે તેવી શક્યતા છે. જેના પગલે ગુરૂવારે શેરબજારમાં કડાકો જોવા મળે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008ની વૈશ્વિક મંદી બાદ માત્ર ત્રણ વખત ફેડરલ રિઝર્વ બેન્કે વ્યાજના દરોમાં વધારો કર્યો છે. જેમાંથી બે વખતની વૃદ્ધિ છેલ્લા ત્રણ મહિનામાં કરવામાં આવી છે.
વોશિંગ્ટનઃ બુધવારે અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં આ બીજો વધારો છે. રોજગારીના વધતા દર, અર્થતંત્રમાં મજબૂતી, નિર્ધારિત ટાર્ગેટ તરફ આગળ વધી રહેલા ફૂગાવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બે દિવસની બેઠક બાદ ફેડરલ બેન્કની પોલિસી કમિટીએ આ નિર્ણય લીધો હતો. બેન્કના વડા જેનેટ યેલીને માર્ચ મહિનાની શરૂઆતમાં જ અણસાર આપી દીધા હતા કે, વ્યાજદરમાં વધારો થશે.