1 એપ્રિલથી આ પાંચ મોટી બેંક થઈ જશે ખત્મ, જાણો તમારા એકાઉન્ટનું શું થશે?
અરુણ જેટલીએ કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે દેશમાં રોકડની અછત નથી. અમુક ATM ઓપરેશનલ કારણોસર ખાલી હોઇ શકે છે. અમારી પાસે સરપ્લસ કરન્સી છે અને અમે સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છીએ.
બેન્કના કુલ ગ્રાહકોનો આંક ૫૦ કરોડને પાર કરી જશે. સહયોગી બેન્કોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને એક્ઝિક્યુટિવ ટ્રસ્ટીને બાદ કરતા ઓફિસર્સ અને કર્મચારીઓ એસબીઆઈના કર્મચારીની ઓળખ મેળવશે.
આ મર્જરને પગલે એસબીઆઈ વૈશ્વિક સ્તરની ધિરાણકર્તા બનશે અને કુલ એસેટ બેઝ ૩૭ લાખ કરોડનું થશે. પાંચ સહયોગી બેન્કોના વિલીનીકરણને પગલે એસબીઆઈની કુલ શાખા વધીને ૨૨,૫૦૦ થશે તેમજ એટીએમની સંખ્યા વધીને ૫૮,૦૦૦ થશે.
SBIમાં મર્જ થનારી સહયોગી બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ મૈસુર, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા અને સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદનો સમાવેશ થાય છે. સૌપ્રથમ 2008માં સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર SBIમાં મર્જ થઇ હતી. તેના 2 વર્ષ બાદ સ્ટેટ બેન્ક ઓફ ઇન્દોરનું મર્જર થયું હતું.
આ પહેલા નાણાં પ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેનિબેટે પહેલા જ મર્જરને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી. આ જુદી જુદી બેંકોના બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, જેને ત્યાંથી મંજૂરી મળી ગઈ છે. બોર્ડની ભલામણ પર વિચાર કર્યા બાદ કેબિનેટે આ દરખાસ્તને અંતિમ મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં પાંચ સહયોગી બેન્કોની વિલીનીકરણ આગામી ૧લી એપ્રિલ ૨૦૧૭ના થશે જે બેન્કિંગ ઉદ્યોગના ઈતિહાસમાં સૌથી મોટી એકત્રીકરણ પ્રક્રિયા છે. સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર (SBBJ), સ્ટેટ બેન્ક ઓફ મૈસુર (SBM), સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર (SBT), સ્ટેટ બેન્ક ઓફ પતિયાલા (SBP) અને સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ (SBH)ની અસ્ક્યામતોને ૧લી એપ્રિલના મુખ્ય બેન્ક સ્ટેટ બેન્કને તબદીલ કરાશે.