✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટ્રેન ટિકિટ એપ્રિલ બાદ ફરી થશે મોંઘી, નુકસાનને કારણે રેલવે લેશે આ નિર્ણય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Feb 2017 03:03 PM (IST)
1

નવી દિલ્હીઃ IRCTCની વેબસાઈટ દ્વારા બુક કરાવવામાં આવતી ટ્રેન ટિકિટ ફરી મોંઘી થઈ શકે છે. રેલવે ફરી સરચાર્જ લગાવવાનું વિચારી શકે છે. જો કે આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ રેલ્વે એ બાબત ઉપર વિચાર કરે છે કે સરચાર્જ હટાવવાથી આવતા નાણાકીય વર્ષમાં થનારા નુકસાનની કઇ રીતે ભરપાઇ કરી શકાય.

2

આનુ એક કારણ એ છે કે સરચાર્જના સ્વરૂપમાં આઇઆરસીટીસીને વર્ષે લગભગ પપ૦ કરોડનું નુકસાન થશે. સુત્રોનુ કહેવુ છે કે, સરચાર્જ હટાવવા અંગે બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. રેલ્વેનો ઇરાદો છે કે નોટબંધી બાદ વધુને વધુ લોકોને ઓનલાઇન રેલ્વે ટિકિટ લેવા માટે પ્રોત્સાહીત કરવામાં આવે. આ કવાયત હેઠળ જ આવુ એલાન કરવામાં આવ્યુ હતુ.

3

રેલ્વેના સુત્રોનુ કહેવુ છે કે સરચાર્જ માર્ચ સુધી જ હટાવવામાં આવે પરંતુ માર્ચ સુધીનો ઉલ્લેખ નથી કરાયો. એવામાં હવે રેલ્વે એ બાબત ઉપર વિચાર કરે છે માર્ચ બાદ સરચાર્જ ફરીથી લગાવવામાં આવે કે સરચાર્જ હટાવાથી થનારા નુકસાન માટે કોઇ બીજો વિકલ્પ અપનાવવામાં આવે.

  • હોમ
  • બિઝનેસ
  • ટ્રેન ટિકિટ એપ્રિલ બાદ ફરી થશે મોંઘી, નુકસાનને કારણે રેલવે લેશે આ નિર્ણય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.