આમ આદમીને વધુ એક ફટકો, સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કર્યો ઘટાડો
આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને દર ત્રણ મહિને વ્યાજ ચૂકવવામાં આવે છે. બેંકોના બચત ખાતામાં જમા રકમ પર મળતા 4 ટકા વ્યાજમાં કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી.
જો કે પાંચ વર્ષની સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમનો વ્યાજ દર 8.3 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. એકથી પાંચ વર્ષની ટર્મ ડિપોઝીટના વ્યાજ દર પણ ઘટાડી 6.6 ટકાથી લઇને 7.4 ટકા રાખવામાં આવ્યા છે
નવી દિલ્હીઃ સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ફરી એક વખત ઘટાડો કરીને આમ આદમીને મોટ ફટકો છે. સરકારે જાન્યુઆરીથી માર્ચ સુધીના ગાળા માટે બચત યોજનાના વ્યાજ દરો જાહેર કર્યા છે. જે મુજબ નેશનલ સેવિંગ્સ સ્કીમ (એનએસસી), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ), કિસાન વિકાસ પત્ર(કેવીપી) અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરોમાં ૦.૨૦ ટકાનો ઘટાડો થયો છે.
ગયા વર્ષે એપ્રિલથી દર ત્રણ મહિને નાની બચત યોજનાઓના વ્યાજ દરની સમીક્ષા કરવામાં આવે છે. હવેથી કરાયેલા ફેરફાર મુજબ પીપીએફ અને એનએસસીમાં હવે 7.6 ટકા જ્યારે કેવીપીમાં 7.3 ટકા વ્યાજ મળશે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હવે 8.3 ટકાના બદલે 8.1 ટકા વ્યાજ મળશે.