સરકારે બેંક એકાઉન્ટને લઈને આપ્યો નવો આદેશ, 31 માર્ચ સુધી જમા કરાવવો પડશે આ નંબર
રવિશંકરે જણાવ્યું કે, સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને ઉત્તેજન આપવાની સાથે જ પરસ્પર રીતે ડિજિટલ સુરક્ષાની દૃષ્ટિથી પણ તમામ મજરૂરી સાયબર સિક્યોરિટી પગલા લેવામાં આવી રહ્યા છે. આઈટી મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અનુસાર અંદાજે 35 ટકા બેંક ખાતા આજે પણ આધાર કાર્ડ સાથે જોડાયેલ નથી, જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પેમેન્ટમાં અવરોધરૂપ બનશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂચના અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ નવા નિર્ણયથી દેશમાં ડિજિટલ પેમેન્ટ્સને લઈને જાગરૂકતા વધશે. તેની સાથે જ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં પણ ઉછાળો આવશે. તમને જણાવીએ કે, મંગળવારે રવિશંકર પ્રસાદે ડિજિટલ પેમેન્ટ્સની સાથે જોડાયેલ અનેક મુદ્દાને લઈને રિવ્યૂ મીટિંગની અધ્યક્ષતા કરી રહ્યા હતા.
ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને પેમેન્ટને લઈને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક મળી. આ બેઠકમાં પ્રસાદે કહ્યું કે, તમામ ખાતાને બેન્કિંગ સાથે જોડવા પર ડિજિટલ પેમેન્ટ સેટઅપને આગળ વધાવવામાં મદદ મળશે.
નવી દિલ્હીઃ મોદી સરકારે કેશલેસ ટ્રાન્ઝેક્શનને ઉત્તેજન આપવા માટે એક નવો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત બેંકોએ તમાં ખાતાને ઇન્ટરનેટ બેન્કિંગ સાથે જોડવાના રહેશે અને તેને આધારા કાર્ડ નંબરથી પણ લિંક કરવાના રહેશે. તેના માટે બેંકોને 31 માર્ચ સુધીની ડેડલાઈન આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -