Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
દવા માફિયાઓનો સફાયો કરશે સરકાર, માર્ચ સુધીમાં ખુલશે 3,000 જન ઔષધિ કેન્દ્ર
તેમણે કહ્યું કે, સરકાર દેશમાં દવા માફિયાનો દબોદબો ખત્મ કરવા માટે કટિબદ્ધ છે. વિતેલા મહિને સરકારે એનવાઈસીએસની સાથે 1,000 જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે કરાર કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશમાં ફાર્મા ઉદ્યોગ વાર્ષિક 2 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની દવાઓનું ઉત્પાદન કરે છે. તેમાંથી અડધી દવાઓનો ઉપયોગ ઘરેલુ બજારમાં કરવામાં આવે છે. કુમારે આશા વ્યક્ત કરી છે કે, ફાર્મા ઉદ્યોગનું ટર્નઓવર ટૂંકમાં જ 3 લાખ કરોડ રૂપિયાને પાર કરી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકમારે રાષ્ટ્રીય યુવા સહકારી સોસાયટી (એનવાઈસીએ) દ્વારા આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે, દુર્ભાગ્યથી ભારતમાં જુદા જુદા વિસ્તારમાં દવા માફિયાનો દબદબો છે. અમારી ફરજ છે કે, અમે દેશને દવા માફિયામાં મુક્ત કરાવીએ.
પ્રધાનમંત્રી ભારતીય જન ઔષદિ પ્રોજેક્ટ અંતર્ગત સરકારે અત્યાર સુધી 777 જન ઔષદિ સ્ટોર ખોલ્યા છે, જ્યાં 600થી વધારે દવાઓ અને 150 મેડિકલ સાધનો વેચવામાં આવે છે. આ યોજના 2008માં શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ફાર્મા પીએસયૂ બ્યૂરો (બીપીપીઆઈ) આ કાર્યક્રમના અમલ માટેની નોડલ એજન્સી છે.
નવી દિલ્હીઃ સરકાર દેશના જુદા જુદા ભાગમાં દવા માફિયાનો દબદબો ખત્મ કરવાના ટાર્ગેટ સાથે ચાલી રહી છે. કેમિકલ અને ફર્ટીલાઈઝર પ્રધાન અનંત કુમારે કહ્યું કે, માર્ચ સુધી 3,000 જન ઔષધિ કેન્દ્ર ખોલવાનો ટાર્ગેટ છે, જેનાથી લોકોને ગુણવત્તાયુક્ત દવા યોગ્ય ભાવ પર ઉલબ્ધ કરાવી શકાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -