✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સરકારે જ્વેલર્સને આપી મોટી રાહત, હવે 50 હજાર રૂપિયાથી વધુ કેશ ખરીદી પર PAN જરૂરી નહીં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Oct 2017 11:47 AM (IST)
1

આ ઉપરાંત જેમ્સ-જ્વેલરીનો વ્યાપાર કરતી પેઢી કે કંપની કે જેનું ટર્નઓવર વાર્ષિક બે કરોડ રૂપિયાથી વધારે હોય તેમના પર મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી નહીં થાય. સરકારે ગત ઓગસ્ટમાં આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેને કારણે સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

2

સરકારે જેમ્સ અને જ્વેલરી અંગે જીએસટીનું નોટિફિકેશન પાછું ખેંચી લીધું છે. તેનું અલગ નોટિફિકેશન ટૂંક સમયમાં બહાર પડશે. સરકારે જાહેર કર્યું છે કે હવે ૫૦,૦૦૦ રૂપિયાથી વધુની જ્વેલરી ખરીદવા પર પાન કાર્ડ અને આધાર કાર્ડની વિગત રજૂ કરવી જરૂરી નથી. હવે બે લાખ રૂપિયાથી વધુની જ્વેલરીની ખરીદી પર જ તેની જરૂર પડશે.

3

નવી દિલ્હીઃ સરકારે દિવાળી અને ધનતેરસ પહેલા જ્વેલર્સને મોટી રાહત આપી છે. હવે જ્વેલર્સે 50 હજાર રૂપિયાથી વધારેની ખરીદી પર ગ્રાહકો પાસેથી પેન કાર્ડ લેવાની જરૂરત નહીં રહે. જીએસટી કાઉન્સીલની 22મી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. 50 હજાર રૂપિયાની મર્યાદા હવે વધારીને 2 લાખ કરવામાં આવી છે. એટલે કે જો હવે તમે 2 લાખ રૂપિયાથી વધારેની સોનાની ખરીદી કરો છો તો તમારે પેન કાર્ડ આપવું પડશે. આ પહેલા સરકારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએસએલએ) અંતર્ગત 50 હજારથી વધારેની ખરીદી પર પેન કાર્ડ ફરજિયાત કર્યું હતું. જેમાં સરકારે હવે છૂટ આપી છે.

  • હોમ
  • બિઝનેસ
  • સરકારે જ્વેલર્સને આપી મોટી રાહત, હવે 50 હજાર રૂપિયાથી વધુ કેશ ખરીદી પર PAN જરૂરી નહીં
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.