ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
હાઈકોર્ટે કહ્યું કે, ‘અમે થોડો સમય માટે રોકાઈ શકીએ છીએ. તમારા હિતોની રક્ષા કરવાના આદેશ અમે પહેલેથી જ આપી ચૂક્યા છીએ. ગત આદેશમાં જ કોઈ દબાણ કરવાના પગલાં ન લેવા અંગે કહેવામાં આવી ચૂક્યું છે.’ બાદમાં કોર્ટે રિલાયન્સના વકીલ અભિષેક મનુ સંઘવીને એ વિચાર કરવા માટે આપ્યો કે, તેઓ રોક લગાવવાની અરજી પર ચર્ચા ચાલુ રાખશે કે પછી હાઈકોર્ટના આદેશની રાહ જોશે. ત્યારબાદ કોર્ટે આ કેસને 6 ડિસેમ્બર માટે સૂચીબદ્ધ કરી દીધો છે.
ACBની એફઆઈઆરમાં કંપની ઉપરાંત યૂપીએના મંત્રીઓ એમ. વીરપ્પા મોઈલી અને મુરલી દેવડા (અવસાન સુધી), રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, કંપનીના હાઈડ્રોકાર્બન યૂનિટના પૂર્વ મહાનિદેશક વી.કે. સિબ્બલ અને કેટલાક અજ્ઞાત લોકોના નામ શામેલ છે. આ પ્રકારના કેસોમાં સુનાવાણી અંગે ACBના ન્યાયાધિકારના મુદ્દા પર જસ્ટિસ એ.કે. ચાવલાએ કહ્યું કે, આની સુનાવણી હાઈકોર્ટની બંધારણીય પીઠ કરી રહી છે અને આ કારણે આ બાબતે ઉપરની કોર્ટના નિર્ણય બાદ સુનાવણી કરવી જ યોગ્ય રહેશે.
કોર્ટે કહ્યું હતું કે, આ કેસમાં અગાઉ પણ ઘણું સંરક્ષણ આપવામાં આવ્યું છે. હાઈકોર્ટે એક આદેશમાં કહ્યું હતું કે, આ કેસમાં કોઈ દબાણ સર્જનારું પગલું ન લેવાવું જોઈએ. હાઈકોર્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની અરજી પર સુનાવણી ચાલી રહી હતી. રિલાયન્સે દિલ્હી સરકારના એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા 2015થી કોઈ એક્શન ન લેવા બદલ અને હવે તેના ત્રણ ઉચ્ચ અધિકારીઓને તાજેતરમાં જ સમન રજૂ કર્યા હોવાનો હવાલો આપી અરજીમાં તપાસ પર રોક લગાવવાની માગણી કરી હતી.
નવી દિલ્હીઃ દિલ્હી હાઈ કોર્ટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ગેસના ભાવ વધારા સાથે જોડાયેલ એક કેસમાં તપાસ પર વચગાળાની રોક લગાવાની ના પાડી દીધી હતી. કેજી 6 બેસીનમાં ગેસની કિંમત વધારવા માટે કરવામાં આવેલ અનિયમિતતાને લઈને પૂર્વ યૂપીએ સરકારના બે પ્રધાનો સહિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી.