વોડાફોન અને આઈડિયાનું થશે મર્જર! બનશે દેશની નંબર 1 કંપનીઃ રિપોર્ટ
વોડાફોને હાલમાં જ રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે કેટલીક નવી સ્કીમ્સ પણ લોન્ચ કરી હતી. સપ્ટેમ્બર 2016માં કંપનીએ 47,700 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. જ્યારે સપ્ટેમ્બર 2016 સુધી કંપનીની પાસે 20 કરોડ ગ્રાહકો હતા. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિયોએ પોતાની ફ્રી વોયસ કોલિંગ અને ડેટા સર્વિસીસને 31 ડિસેમ્બર 2016થી વધારીને 31 માર્ચ 2017 સુધી કરી દીધી છે.
જો મર્જર થાય તો નવી કંપનીની પાસે સૌથી વધારે 39 કરોડ સબ્સક્રાઈબર્સ હશે. હાલમાં નંબર વન કંપની એરટેલની પાસે 27 કરોડ અને રિલાયન્સ જિયોની પાસે 7.2 કરોડ ગ્રાહક છે. ઉપરાંત કુલ આવકમાં બજાર હિસ્સો 40 ટકા હશે, જ્યારે એરટેલનો બજાર હિસ્સો 32 ટકા છે.
અનેક ટોપ બેન્કર્સે દેશની બીજા ક્રમની ટેલીકોમ કંપની વોડાફોન અને ત્રીજા નંબરની આઈડિયાના મર્જરની વાતને યોગ્ય ગણાવી છે. એક બેન્કરે કહ્યું કે, રિલાયન્સ જિયોના બજારમાં આવ્યા બાદ બન્ને કંપનીઓ માટે પોતાની આવક, નફો અને વેલ્યૂએશનને સુરક્ષિત રાખવા માટે મર્જર જરૂરી બની ગયું છે.
અંગ્રેજી સમાચારપત્ર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર મર્જરને લઈને થોડા સમયથી વાતચીત ચાલી રહી છે. ત્રીજા ક્વાર્ટરના પરિણામ પર વિચારને લઈને મળનારી આઇડિયાની 23 જાન્યુઆરીની બેઠક પણ ટાળવામાં આવી છે, જેના કારણે આ સમાચારને વધારે જોર પકડ્યું છે.
જો આઈડિયા અને વોડાફોનનું મર્જર થાય છે તો તે મળીને દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બની જશે. ઉપરાંત આ ટેલીકોમ ઉદ્યોગનું સૌથી મોટું મર્જર પણ હશે. કહેવાય છે કે, રિલાયન્સ જિયો આવવાથી પ્રતિસ્પર્ધા વધવાને કારણે થઈ શકે છે.
નવી દિલ્હીઃ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહની વાત છે જ્યારે બ્રિટિશ અખબાર ટેલીગ્રાફે પોતાના અહેવાલમાં કહ્યું હતું કે, વોડાફોનનું ભારતીય એકમનું મર્જર કોઈ અન્ય ટેલીકોમ કંપની સાથે થઈ શકે છે. અહેવાલમાં એ શક્યતા દર્શાવવામાં આવી હતી કે વોડાફોનનું ટાઈએપ જિયો અથવા આઈડિયા સાથે થઈશકે છે.