Ideaએ શરૂ કરી સ્પેશિયલ નવી સર્વિસ, હવે આ રીતે નંબર જણાવ્યા વગર કરી શકાશે ફોન રિચાર્જ
નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની વોડાફોન બાદ આઈડિયાએ પણ ગ્રાહકોને ખાસ કરીને મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવી સર્વિસ શરૂ કરી છે. તે અંતર્ગત યૂઝર્સ રિટેલર્સને મોબાઈલ નંબર જણાવ્યા વગર પણ રિચાર્જ કરાવી શકશે. તેનાથી મોબાઈલ નંબરનો દુરુપયોગ થવાની શક્યતા ઓછી થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેના માટે યૂઝર્સને સૌથી પહેલા એક એસએમેસ મોકલવાનો રહેશે. યૂઝર્સે PRIVATE લખીને 12604 પર મોકલવાનો રહેશે. ત્યાર બાદ યૂઝરના મોબાઈલ પર એક OTP (વન ટાઈમ પાસવર્ડ) આવી જશે. ઓટીપીમાં મળનાર કોરડ દ્વારા ગ્રાહક કોઈપણ મલ્ટી આઉટલેટથી ફોન રિચાર્જ કરાવી શકશે. રિચાર્જ કરાવવા માટે ગ્રાહકોએ પોતાના મોબાઈલ નંબરની જગ્યાએ ઓટોપીમાં મળેલ કોડ જણાવવાનો રહેશે. આ નંબરને ઈ રિચાર્જમાં નોંધ્યા બાદ તમારો મોબાઈલ રિચાર્જ થઈ જશે.
આઈડિયાઈ સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું કે, આ સર્વિસથી ગ્રાહક પોતાની પ્રાઈવેસી જાળવી શકશે. સૌથી પહેલા આ સર્વિસની શરૂઆત કેરળમાં થઈ હતી. હવે આ દેશના 14 સર્કલમાં ઉપલબ્ધ છે. આ મહિનાના અંત સુધી સમગ્ર દેશમાં કામ કરવા લાગશે.
મોબાઈલ ઉપભોક્તા ખાસ કરીને મહિલાઓની ફરિયાદ હોય છે કે તેના મોબાઈલ નંબર રિચાર્જ કરાવ્યા બાદ જાહેર થઈ જાય છે અને તેનાથી તેને અસુવિધા થાય છે. માટે મોબાઈલ નંબર ગુપ્ત રાખવા માટે આઈડિયાએ પોતાના યૂઝર્સ માટે પ્રાઈવેટ રિચાર્જ મોડ રજૂ કર્યું છે. તે અંતર્ગત Idea યૂઝર્સ રિટેલર્સને મોબાઈલ નંબર જણાવ્યા વગર જ રિચાર્જ કરાવી શકશે. તેનાથી મોબાઈલ નંબરનો દુરુપયોગ થવાથી રોકી શકાશે.
આ સેવાનું નામ પ્રાઈવેટ રિચાર્જ સર્વિસ છે. આ પ્લાન અંતર્ગત જો તમો મોબાઈલ રિચાર્જ કરાવવા જશો તો તમારે ઓનલાઈન અથવા ઓફલાઈન તમારો નંબર આપવાની જરૂરત નહીં રહે. તમારા મોબાઈલમાં બેલેન્સ એડ કરવું, ટેરિફ પ્લાન, ડેટા પ્લાન વગેરે જેવા કોઈપણ રિચાર્જ માટે યૂઝર્સ પ્રાઈવેટ રિચાર્જ સર્વિસનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -