IMEI નંબર સાથે છેડછાડ કરવી પડશે ભારે, જાણો કેટલા વર્ષની થશે સજા
આ નવા કાયદાને છેડછાડ નિરોધક નિયમ 2017 નામ આપવામાં આવ્યું છે. આ કાયદો ઈન્ડિયન ટેલીગ્રાફ કાનૂનની ધારા 7 અને ધારા 25ના સંયોજનથી બનવવામાં આવ્યો છે. આ સાથે જ ટેલિકોમ વિભાગે એક નવી પ્રણાલી લાગૂ કરી રહ્યું છે, જેના અંતર્ગત કોઈપણ નેટવર્ક પર ખોવાઈ ગયેલા કે ચોરી થયેલા મોબાઈલની સેવા બંધ કરી શકાશે. પછી ભલે તે ફોનનું સિમકાર્ડ કે પછી IMEI નંબરને બદલી નાખવામાં આવ્યો હોય.
ટેલિકોમ વિભાગે આ મામલે એક નોટિફિકેશન 25 ઓગસ્ટે જાહેર કર્યું હતું. આ નિર્ણયથી ખોટાં IMEI નંબર સાથે જોડાયેલા મુદ્દાઓ રોકવા અને ખોવાયેલા મોબાઈલ ડિવાઈસને શોધવામાં મદદ મળવાની ઉમ્મિદ છે. આ નોટિફિકેશનમાં કહેવાયું છે કે કોઈપણ મોબાઈલના IMEI નંબર સાથે જાણી જોઈને છેડછાડ કરવી કે બદલવો ગેરકાનૂની છે.
નવી દિલ્હીઃ જો તમારો મોબાઈલ ચોરી થઈ જાય અથવા ખોવાય જાય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેને શોધવો સરળ થઈ જશે. સરકારે મોબાઈલના આઈડેન્ટિટીટ નંબર બદલવા પર 3 વર્ષની સજાની જોગવાઈ કરી છે. એટલે કે કોઈ જાણી જોઈને મોબાઈઇલની આઈએમઈઆઈ નંબર બદલશે તો તેને દંડની સાથે સાથે 3 વર્ષની સજા પણ થઈ શકે છે.