Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
IT 'ઓપરેશન ક્લીન મની'નો બીજો તબક્કો માર્ચમાં શરૂ કરશે, 5 લાખથી ઓછી રકમ જમા કરી હશે તો નહીં થાય તપાસ
અધિકારીઓએ જણાવ્યું કે, આવકવેરા વિભાગ વિતેલા વર્ષે 8 નવેમ્બર બાદ અથવા તે પહેલા જમા રકમનું વિશ્લેષણ કરવા માટે બે ડેટા વિશ્લેષક ફર્મની નિમણૂંક આવતા દસ દિવસમાં કરશે. અધિકારીએ કહ્યું કે, સરકારે નોટબંધી પહેલા અને નોબટંભી બાદ જમા કરાવવામાં આવેલ રકમના આંકડા બેંકો સાથે મેળવશે. આ ડેટા સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એસએફટી હેઠળ આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ આવકવેરા વિભાગ નોટબંધી દરમિયાન બેંક ખાતામાં બિનહીસાબી જમા રકમની તપાસ માટે પોતાના અભિયાન ઓપરેશન ક્લીન મનીનો બીજો તબક્કો આવતા મહિનાથી શરૂ કરી શકે છે. જોકે, બીજા તબક્કામાં પણ પાંચ લાખ રૂપિયાથી ઓછી રકમ જમા કરાવનારાઓની તપાસ હાલમાં કરવામાં નહીં આવે.
સરકારે 8 નવેમ્બર 2016ના રોજ 500, 1000 રૂપિયાની નોટ રદ્દ કરી દીધી હતી જેના કારણે બજારમાંથી 86 ટકા કરન્સી ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. અધિકારી અનુસાર આ કવાયતનો ઉદ્દેશ એવી વ્યક્તિ અને બેંક ખાતા અને પાન નંબરને એક બીજા સાથે જોડવાનો છે જેમણે મોટી સંખ્યામાં રોકડ જમા કરાવી છે.
આવકવેરા વિભાગે એક સરખા સરનામાં, પાન સંખ્યા, ટેલીફોન નંબર, ઈમેલ અથવા નામ જેવી સમાનતાના આધારે જુદી જુદી જમા રકમના તાર જોડવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. અધિકારીએ કહ્યું કે, ઓછી રકમની એક જ જમા રકમની તપાસ કરવામાં નહીં આવે.
અધિકારી અનુસાર, કર વિભાગ એક જ વખત જમા કરાવવામાં આવેલ પાંચ લાખ રૂપિયાથી ઓછી રકમની હાલમાં અવગણના કરશે. નોટબંધી દરમિયાન બેંક ખાતામાં પણ મોટી સંખ્યામાં રકમ જમા થયાની આશંકાએ કરચોરોને પકડવા માટે વિભાગે ઓપરેશન ક્લિન મની શરૂ કર્યું.
આ અભિયાન અંતર્ગત પાંચ લાખ રૂપિયાથી વધારેના સંદિગ્ધ જમા કરાવનાર 18 લાખ લોકોને એમએમએસ, ઈમેલ મોકલવામાં આવ્યા. સાત લાખથી વધારે લોકોએ ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા પોતાના જવાબ મોકલ્યા. નોટબંધી બાદ બે લાખ રૂપિયાથી વધારેની રકમમાં કુલ 10 લાખ કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે, તેમાંથી 4.5 લાખ કરોડ રૂપિયાની રકમ પ્રમાણીત કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -