ભારતમાં દર વર્ષે NRIs કેટલાક રૂપિયા મોકલે છે? આંકડો જાણીને ચોંકી જશો

વિકાસશીલ દેશોમાં 2015થી લઇને 2030 સુધી આશરે 6.5 ખરબ ડોલરની રકમ પ્રવાસી ભારતીયો પાસેથી મળનાર છે. વિદેશોમાંથી મોકલનારી રકમમાં અડધાથી વધારે ગ્રામ્ય વિસ્તારોમાં જશે જ્યાં ગરીબી વસે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અત્યારના સમયે ત્રણ કરોડથી વધારે ભારતીયો વિદેશોમાં વસે છે. જેમાં સૌથી વધારે અમેરિકા, સાઉદી અરબ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.

એનઆરઆઈ દ્વારા સ્વદેશ મોકલવામાં આવતી રકમનો સૌથી મોટો હિસ્સો કેરળના પ્રવાસી ભારતીયોનો છે. ઇન્ડિયાસ્પેન્ડ રિપોર્ટ 2016ની તુલનામાં કેરળની ભાગીદારી 40 ટકા રહી છે. જ્યારે પંજાબ 12.7 ટકા, તામિલનાડુ 12.4 ટકા, આંધ્રપ્રદેશ 7.7 ટકા અને ઉત્તર પ્રદેશ 5.4 ટકા પર છે.
અહેવાલ પ્રમાણે વર્ષ 1991થી 2017ના સમયગાળા દરમિયાન વિદેશમાંથી ભારતીયો દ્વારા મોકલવામાં આવતી રકમમાં 22 ગણો વધારો થયો છે. ભારતીય 1991માં માત્ર 3 અબજ ડોલર સ્વદેશ મોકલતા હતા. જ્યારે 2017માં આ રકમ વધીને 69 અબજ ડોલર થઇ છે. જ્યારે વૈશ્વિક સ્તર ઉપર પ્રવાસીઓ દ્વારા સ્વદેશમાં મોકલવામાં આવતી રકમ 613 અબજ ડોલર થઇ છે. ભારત પછી ક્રમશઃ ચીન, ફિલિફાઇન્સ, મેક્સિકો, નાઇઝિરીયા અને ઇજીપ્ત દેશોના પ્રવાસી લોકો સૌથી વધારે રકમ મોકલી છે.
નવી દિલ્હીઃ વિદેશથી ઘરે રૂપિયા મોકલવાના મામલે ભારતીયો વિશ્વમાં નંબર વન છે. છેલ્લા 28 વર્ષમાં ભારતીયો દ્વારા સ્વદેશ મોકલવામાં આવેલા રૂપિયામાં 22 ગણો વધારો થયો છે. 2017માં દેશની બહાર રહેતા ભારતીયોએ કુલ 69 અબજ ડોલર એટલે કે 4.68 લાખ કરોડ રૂપિયા ભારતમાં પોતાના ઘરે મોકલ્યા છે. આ નાણાંમાંથી 40 ટકા રૂપિયા તો માત્ર કેરળમાં જ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -