સપ્ટેમ્બરમાં થશે આ ત્રણ મોટા ફેરફાર, જાણો તમારા ગજવા પર શું થશે અસર....
આધાર જાહેર કરતી સંસ્થા, યુઆઇડીએઆઇ, એ તબક્કાવાર રીતે ચહેરાને માન્યતાની રજૂઆત કરવા જાહેરાત કરી દીધી છે. ફેસ રિકગ્નીઝનસનું એક વધારાનું માધ્યમ હશે. ફેસ રેકગ્નિશન ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સથી શરૂ થશે અને તે 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. યુઆઇડીએઆઇની 1 જુલાઇ 2018 થી રેકગ્રિશન ફિચર લાવવાની યોજના હતી. બાદમાં તેને વધારીને 1 ઓગસ્ટ 2018 કરી દીધી છે.
પોસ્ટ વિભાગની પૂર્ણ પોસ્ટલ વાળી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (આઈપીપીબી), સપ્ટેમ્બર 1 થી શરૂ થશે. બુધવારે આ માહિતી આપતા નાણાં પ્રધાન મનોજ સિંહાએ જણાવ્યું હતું કે બેન્ક ઘણી રીતે સામાન્ય બેંકોથી અલગ હશે. દેશમાં આ પ્રથમ બેન્ક બનશે, જે ઘરે બૅન્કિંગ સેવાઓ આપશે. આ સેવા દેશભરમાં ફેલાયેલી ટપાલ સેવા અને પોસ્ટમેન દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવશે.
આઈઆરસીટીસી તરફથી ઇ-ટિકિટ પર ફ્રી ટ્રાવેલ ઇન્શ્યોરન્સની સેવા બંધ કરવામાં આવશે. માટે હવે જો તમારે વીમાનો લાભ લેવા માંગતા હો, તો તમારે અલગથી વધારે ચૂકવણી કરવી પડશે.
નવી દિલ્હીઃ સપ્ટેમ્બહ મહિના સામાન્ય લોકો માટે ખાસ છે. કારણ કે એક સપ્ટેમ્બરથી ટ્રેનની ઈ ટિકિટ પર મળતો વીમો બંધ થઈ જશે અને પોસ્ટની પેમેન્ટ બેંકની શરૂઆત થશે. ઉપરાંત આધારને લગતા નિયમોમાં પણ ફેરફાર થશે. આગળ વાંચો શું મોટા ફેરફાર હશે...