નીતિ આયોગના CEO અમિતાભ કાંતે કહ્યું- બેંક શાખાઓને સમાપ્ત કરી દેશે ઓનલાઈન બેન્કિંગ
નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે હાલમાં જ કહ્યું હતું કે, ભારતમાં ટેક્નોલોજીના વધતા પ્રસારને કારણે ડિજિટલ લેવડદેવડ મોબાઈલ વોલ્ટેસ અને અને બાયોમેટ્રિક માધ્યમ દ્વારા કરવામાં આવશે અને એટીએમ, ક્રેડિટ, ડેબિટ કાર્ડ્સનું ચલણ ખતમ થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, મારા મતે આવાનારા 5-6 વર્ષમાં આપણે બેંક શાખાઓનું અસ્તિત્વ ખતમ થતા જોશું. બેંક શાખાઓઓના ભારે ખર્ચની તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું કે, ઓનલાઈન બેન્કિંગની તુલનામાં આ ખૂબ જ વધારે છે. આ મામલે તેમણે દેશમાં મોબાઈલ ફોન અને ઓનલાઈન લેવડ દેવડનું ચલણ વધવાનો પણ ઉલ્લેખ કર્યો.
તમને જણાવીએ કે, હાલમાં જ અમિતાભ કાંતે કહ્યું હતું કે, ટેક્નોલોજીનો એટલી ઝડપથી પ્રસાર થઈ રહ્યો છે કે આવનારા ત્રણ ચાર વર્ષમાં ડિજિટલ લેવડ દેવડ મોબાઈલ વોલેટ અને બાયોમેટ્રિક માધ્યમથી જ થશે. એટીએમ, ક્રેડિટ, ડેબિટ કાર્ડ્સનું ચલણ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે.
નવી દિલ્હીઃ નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અમિતાભ કાંતે કહ્યું કે, ઓનલાઈન બેન્કિંગનું વધતું ચલણ વનારા વર્ષોમાં બેંક શાખાઓને ખતમ કરી દેશે. તેમણે અહીં કાર્યક્રમમાં કહ્યું કે, ઓછા ખર્ચવાળી ઓનલાઈન લેવડદેવડ તથા ટેક્નોલોજી અપગ્રેડ થવાને કારણે આવતા 5-6 વર્ષમાં બેંક શાખાઓ સમાપ્ત થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -