આજથી ATM-સેવિંગ્સ ખાતામાંથી ઉપાડની મર્યાદામાં વધારો, જાણો હવે કેટલી રકમ ઉપાડી શકાશે?
બીજી તરફ એટીએમમાંથી શરૃઆતમાં એક દિવસમાં મહત્તમ ૨૦૦૦ રૃપિયા ઉપાડી શકાતા હતાં. ત્યારબાદ આ રકમ વધારી ૨૫૦૦ રૃપિયા કરવામાં આવી. ડિસેમ્બરના અંતમાં આ રકમ વધારી ૪૫૦૦ રૃપિયા કરવામાં આવી. જાન્યુઆરીમાં આ રકમ વધારી ૧૦,૦૦૦ રૃપિયા કરવામાં આવી અને હવે આ રકમ વધારીને ૨૪,૦૦૦ રૃપિયા કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ચાલુ ખાતામાંથી ઉપાડની મર્યાદા ૫૦,૦૦૦ રૃપિયા હતી. જાન્યુઆરીમાં આ મર્યાદા વધારી એક લાખ રૃપિયા કરવામાં આવી હતી. અને હવે પહેલી ફેબુ્રઆરીથી ચાલુ ખાતામાંથી નાણા ઉપાડવાની કોઇ મર્યાદા નથી એટલે કે ખાતામાંથી ગમે તેટલા રૃપિયા ઉપાડી શકાશે.
નવી દિલ્લીઃ ભારતીય રિઝર્વ બેન્કે એટીએમમાંથી રૂપિયા કાઢવાની મર્યાદા ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે. તે સિવાય કરન્ટ એકાઉન્ટ અને ઓવરડ્રાફ્ટ એકાઉન્ટથી કેશ વિડ્રોલની લિમિટ આજથી હટાવી લેવામાં આવી છે. આરબીઆઇએ જણાવ્યું હતું કે બચત એકાઉન્ટમાંથી એક વખતમાં 10 હજાર રૂપિયા કાઢવાની મર્યાદા રાખવામાં આવી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજથી બચત અને ચાલુ ખાતાધારકોને નાણાં ઉપાડવામાં વધુ રાહત આપી છે. આરબીઆઇએ કરેલી જાહેરાત મુજબ સેવિંગ એકાઉન્ટ ધરાવતા ખાતાધારકો હવે પહેલી ફેબ્રુઆરીથી એટીએમમાંથી બેન્કની જેમ સપ્તાહમાં એક વખત એક સાથે રૂપિયા ૨૪,૦૦૦ ઉપાડી શકશે. બીજી તરફ કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ અને ચાલુ ખાતામાંથી નાણાં ઉપાડવા માટેની કોઇ મર્યાદા રાખવામાં આવી નથી. અગાઉ આ મર્યાદા એક લાખ રૃપિયાની હતી.
સેવિંગ એકાઉન્ટની સાપ્તાહિક ઉપાડની મયાર્દા ૨૪,૦૦૦ રૃપિયા યથાવત રાખવામાં આવતા એટીએમમાંથી પણ એક સપ્તાહમાં ૨૪,૦૦૦થી વધુ ઉપાડી શકાશે નહીં. જો કે આરબીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર સેવિંગ ખાતામાંથી એક સપ્તાહમાં ૨૪,૦૦૦ રૃપિયા ઉપાડવાની મર્યાદા પણ ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -