ટ્રેનમાં હવે સાથે ઓળખનો પુરાવો રાખવો જરૂરી નહીં રહે, રેલવેએ ઓળખ માટે અપનાવી આ રીત...
એમ-આધાર ભારતના વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ દ્વારા શરૂ કરવામાં આવેલ એક મોબાઈલ એપ છે જેના પર એક વ્યક્તિ પોતાનું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ માત્ર મોબાઈલ નંબર પર જ કરી શકાય છે જે નંબર આધાર સાથે રજિસ્ટર્ડ હોય. આધાર બતાવવા માટે વ્યક્તિએ એપ ખોલવાની રહેશે અને પોતાનો પાસવર્ડ નાંખવાનો રહેશે.
રેલવેએ કહ્યું કે, પ્રવાસી દ્વારા પોતાના મોબાઈલ પર પાસવર્ડ નોંધાવ્યા બાદ બતાવવામાં આવેલ એમ આધારને ભારતીય રેલવેના કોઈપણ આરક્ષિત ક્લાસમાં પ્રવાસ કરવા માટે ઓળકના પુરાવા તરીકે માન્ય કરવામાં આવશે.
રેલવે મંત્રાલયે કોઈપણ રિઝર્વ્ડ ક્લાસમાં પ્રવાસ કરવા માટે ઓળખ માટે નક્કી પુરાવા તરીકી એમ આધાર (મોબાઈલ એપ પર આધાર કાર્ડ)ને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે બુધવારે તેની જાહેરાત કરી.
નવી દિલ્હીઃ હવે ટ્રેનમાં પ્રવાસ કરતા સમયે ઓળખના પુરાવા તરીકે આધારા કાર્ડ કે અન્ય ડોક્યૂમેન્ટ રાખવાની જરૂરત નહીં રહે. મોબાઈલ ફોનમાં રહેલ એમ-આધારા જ ઓળખ માટે પુરતો છે. રેલવેએ એમ-આધારને ઓળખના પુરાવા તરીકે માન્ય કર્યો છે.