2000 રૂપિયાની નોટ પરત ખેંચવાની કોઈ યોજના નથીઃ અરૂણ જેટલી

ઉલ્લેખનીય છે કે, સરકારે 8 નવેમ્બરની રાતે અચાનક 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ લોકોને 30 ડિસેમ્બર 2016 સુધીનો સમય જૂની નોટ બદલવા અને બંકમાં જમા કરાવવાનો સમય આપવામાં આવ્યો હતો. જ્યારે બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડવા પર આરબીઆઈએ કેટલાક પ્રતિબંધ પણ લગાવ્યા હતા, જે ધીમે ધીમે ખત્મ કરવામાં આવ્યા.
27 જાન્યુઆરી સુધી આ આંકડો 9.921 લાખ કરોડ રૂપિયાનો હતો. એક અન્ય પ્રશ્નના ઉ્તતરમાં નાણાં રાજ્ય પ્રધાન અર્જુન રામ મેધવાલે જણાવ્યું કે, નોટબંધી બાદ જૂની નોટ બદલવા અને રૂપિયા ઉપાડવા દરમિયાન થયેલ મૃત્યુનો સરકાર પાસે કોઈ સત્તાવાર અહેવાલ નથી.
જેટલીએ આગળ જણાવ્યું કે, 10 ડિસેમ્બર 2016 સુધી આરબીઆઈની પાસે બંધ થયેલ 500 અને 1000 રૂપિયાની કુલ 12.44 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની નોટ જમા થઈ છે. તેમણે જણાવ્યું કે, 3 માર્ચ 2017 સુધી દેશભરમાં કુલ 12 લાખ કરોડ રૂપિયાની નવી નોટ બજારમાં આવી ગઈ છે.
નાણાંમંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં એક લેખીત જવાબમાં જણાવ્યું કે, 2000 રૂપિયાની નોટ પરત લેવાની કોઈ યોજના નથી. આ નોટબંધીની જાહેરાત બાદ 2000ની નોટ જારી કરવામાં આવી હતી. તેની સાથે જ 500 રૂપિયાની નોટ પણ જારી કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ શુક્રવારે સરકારે નોટબંધી અને નવી નોટ સાથે જોડાયેલ નિવેદન આપ્યું. સરકારે 2000 રૂપિયાની નોટને પરત ખેંચવાના સમાચારને નકારી કાઢ્યા છે. જ્યારે સરકારે એ પણ કહ્યું કે, નોટબંધી દરમિયાન મરનારાઓનો કોઈ સત્તાવાર અહેવાલ તેમની પાસે નથી.