ચાલુ ખાતમાં 5 લાખથી વધારે રકમ જમા કરાવનારા વેપારીઓ પર ITની તવાઈ, જાણો શું કહેવું છે વેપારીઓનું
આવકવેરા વિભાગનું કહેવુ છે કે, જે ખાતાની તપાસમાં ગેરરીતિ સામે આવી રહી છે અને જે એકાઉન્ટમાં નોટબંધી દરમિયાન જમા રકમ અને આઇટી રીટર્નમાં આપવામાં આવેલ વિગત સાથે મેળ નથી ખાતી તેઓને પહેલા મેસેજ આપવામાં આવી રહ્યા છે અને પછી નોટીસ.
નાણા મંત્રાલયનું કહેવુ છે કે જો કોઇને આવકવેરાની નોટીસ આવે તો તેઓ ઓનલાઇન જવાબ આપી શકે છે. બચત ખાતાના જેટલા લોકોને જમા રકમને લઇને હિસાબ આપવા મેસેજ કે નોટીસ મોકલવામાં આવી હોય તેમાંથી લગભગ પ૦ ટકાએ પોતાનો જવાબ ઓનલાઇન આપી દીધો છે.
સીબીડીટી અને આવકવેરાના અધિકારીઓનું કહેવુ છે કે, અમને જે નિર્દેશ મળે છે તેનુ અમે પાલન કરીએ છીએ. અધિકારીઓ પાસે એ બાબતનો જવાબ નથી કે જયારે ચાલુ ખાતામાં જમા રકમની મર્યાદ નક્કી છે તો પછી તેનાથી ઓછી રકમના ટ્રાન્ઝેક્શન માટે નોટીસ કેમ ફટકારવામાં આવી રહી છે?
વેપારીઓને પહેલા આવકવેરા તરફથી મેસેજ આવ્યા જેને કારણે તેઓ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. તેઓએ આવકવેરા વિભાગનો સંપર્ક પણ કર્યો તે પછી તેઓને નોટીસ મળવાનુ શરૂ થયુ. પરેશાન વેપારીઓ હવે નાણામંત્રી જેટલીને મળવા માંગે છે કે જેથી સરકારને તેના એ વચનની યાદ અપાવી શકાય કે જે નોટબંધી દરમિયાન વેપારીઓને આપવામાં આવી હતી.
વેપારીઓને આ જમા રકમનો હિસાબ આપવામાં જણાવવામાં આવી રહ્યુ છે. આવકવેરા વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં ૧ લાખ વેપારીઓને નોટીસ મોકલવામાં આવી છે. આવકવેરાની નોટીસ આવવાને કારણે વેપારીઓ હેરાન-પરેશાન થઇ ગયા છે.
નવી દિલ્હીઃ બચત ખાતની સાથે સાથે હવે ચાલુ ખાતું ધરાવતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થવાનો છે. કારણ કે, જે વેપારીઓએ ચાલુ ખાતામાં 5 લાખથી વધારેની રકમ જમા કરાવી હશે તેને આવકવેરા વિભાગ તરફતી મેસેજ અને મોટીસ ફટકારવામાં આવી છે.
વેપારીઓનું કહેવું છે કે, મોદીએ નોટબંધિ દરમિયાન કહ્યું તું કે, ચાલુ ખાતામાં 12 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરાવી હશે તેના ખાતાનાં જ તપાસ કરવામાં આવશે પરંતુ આવકવેરા વિભાગ હવે 5 લાખથી વધારેની રકમ પર પણ નોટીસો ફટકારી રહી છે.