✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Paytmએ કર્યો મોટો નિર્ણય, ક્રેડિટ કાર્ડથી રૂપિયા જમા કરાવવા પર વસૂલશે 2 ટકા ચાર્જ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Mar 2017 12:47 PM (IST)
1

બુધવારે એક બ્લોગ પોસ્ટમાં Paytmએ કહ્યું કે, જ્યારે તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો Paytmને કાર્ડ નેટવર્ક અને કાર્ડ જારી કરનાર બેંકોને ચાર્જ આપવો પડતો હોય છે. જો કોઈ યૂઝર ક્રેડિટ કાર્ડથી રૂપિયા જમા કરાવે છે અને પછી તે રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે ત્યરે અમને નુકસાન થાય છે.

2

વિતેલા નવેમ્બરમાં Paytmએ શૂન્ય ટકા ચાર્જ વાળા લેવડ દેવડ પ્લેટફોર્મની શરૂઆત નાના દુકાનદારો અને કારોબારીઓ માટે કરી હતી. તેનો ઉદ્દેશ નાના કારોબારીઓને પોતાના Paytm વોલેટ દ્વારા પેમેન્ટ સ્વીકારવા અને તે રકમને ફરી પોતાના બેંક ખાતામાં મોકલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. તેના માટે Paytm કોઈપણ પ્રકારનો ચાર્જ લેતી ન હતી.

3

મોટેભાગે જોવા મળ્યું છે કે, ઘણાં Paytm યૂઝર્સ ક્રેડિટ કાર્ડથી રૂપિયા વોલેટમાં જમા કરાવ્યા બાદ બેંક ખાતામાં એ જ રકમ ટ્રાન્સફર કરતાં હતા. તેના માટે તેને કોઈ ચાર્જ આપવો પડતો ન હતો. તમને જણાવીએ કે Paytm એ પણ સ્પષ્ટતા કરી છે કે, નેટબેન્કિંગ અને ડેબિટ કાર્ડ દ્વારા રૂપિયા જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં લાગે.

4

નવી દિલ્હીઃ Paytmમાં જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા રૂપિયા વોલેટમાં જમા કરાવો છો તો આ સમાચાર તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. હવે Paytmમાં ક્રેડિટ કાર્ડ દ્વારા રૂપિયા જમા કરાવવા પર 2 ટકા ચાર્જ લાગશે. આ ચાર્જ 8 માર્ચથી લાગવાનું શરૂ થઈ જશે. જોકે, કંપની ડિજિટલ વોલેટમાં ક્રેડિટ કાર્ડથી રૂપિયા જમા કરાવવા પર એટલું જ કેશબેક ઉપલબ્ધ કરાવશે.

  • હોમ
  • બિઝનેસ
  • Paytmએ કર્યો મોટો નિર્ણય, ક્રેડિટ કાર્ડથી રૂપિયા જમા કરાવવા પર વસૂલશે 2 ટકા ચાર્જ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.