અમદાવાદીઓને મળશે રાંધણ ગેસની ચોરી થઈ હોય તો ખબર પડી જાય એવો પારદર્શક LPG સિલિન્ડર
અમદાવાદઃ અમદાવાદીઓને ટૂંકમાં જ લોખંડના વજનવાળા LPG સિલન્ડરથી છૂટકારો મળી શકે છે. એટલું જ નહીં, ગૃહિણીઓની હંમેશા ફરિયાદ રહેતી હોય છે કે, રાંધણ ગેસના બાટલામાં ચોરી થાય છે અને તેમને ઓછો ગેસ મળે છે, ત્યારે હવે તમને મળનારો આ ગેસનો બાટલો તમારી દરેક સમસ્યાથી છૂટકારો આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્ડિયન ઓઈલના ચેરમેન બી. અકશોકે જ્યારે આ વિશે જણાવ્યું કે તેમણે કહ્યું કે આ હળવા સિલિન્ડરને મેળવવા માટે હાલમાં તમારે થોડી રાહ જોવી પડશે. કારણ કે તેના માટે કાયદામાં અનેક ફેરફાર કરવા પડશે. પરંતુ એટલું તો નક્કી છે કે ટૂંકમાં જ તમને ભારે ભરખમ લોખંડના સિલિન્ડરથી છૂટકારો મળવાના કોઈ સમાચાર ચોક્કસ મળશે.
પ્રારંભિક તબક્કામાં પાંચ એલપીજી સિલિન્ડર સાથે અમદાવાદ અને પૂણેમાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ સિલિન્ડર ત્રણ કેટેગરીમાં બનાવવામાં આવ્યા છે. બે કિલો, પાંચ કિલો અને 10 કિલો વજનના સિલિન્ડર બનાવવામાં આવ્યા છે. આ ગેસના બાટલા હિન્દુસ્થાન પેટ્રોલિયમ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યા છે.
ઇન્ડિયન ઓઈલ કમ્પોઝિટ મટિરિયલથી બનેલ ખૂબ જ હળવો ગેસ સિલિન્ડર બજારમાં ઉતારશે. જે લોખંડના ગેસ સિલિન્ડરની તુલનામાં ખૂબ જ હલકો હશે. એટલે કે, ભારે ભરખમ એલપીજી સિલિન્ડરને ઉપાડવા, રાખવા, જગ્યા બદલવામાં કોઈ મુશ્કેલી નહીં થાય. એટલું જ નહીં આ ગેસનો બાટલો ટ્રાન્સપરન્ટ હોવાથી બાટલામાંથી ગેસ કાઢી લીધો છે કે નહીં, તે સ્પષ્ટ જોઇ શકાશે. જેથી ગેસની ચોર થતી પણ અટકશે.
હાલમાં LPGનો ઘરેલુ સિલિન્ડર અંદાજે 30 કિલો વજનનો હોય છે, જેમાં 15 કિલો ગેસ હોય છે. એટલે કે બાકીનો 15 કિલો વજન લોખંડનો હોય છે. પરંતુ ઇન્ડિયન ઓઈલનું નવું સિલિન્ડર આ તસવીરને બદલી નાંખશે. ઇન્ડિયન ઓઈલ હવે માત્ર 4 કિલો વજનના સિલિન્ડરમાં રાંધણગેસ આપવાની તૈયારીમાં છે. જે લોખંડથી પણ મજબૂત, કમ્પોઝિટ મટિરિયલનું બનેલ હશે. આ સિલિન્ડરમાં ન તો ગેસ લીક થવાનું જોખમ રહેશે ન તે ગેસ ચોરી થવાનો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -