હવે ભાડાનાં મકાનના તમે બની જશો માલિક! જાણો કેવી રીતે
સરકાર અંગત જમીન પર બનાવેલ મકોનોની ખરીદ પર ગરીબ વર્ગના લોકોને દોઢ લાખ રૂપિયાની સબસીડી આપવાનું વિચાર કરી રહી છે. વેંકૈયા નાયડૂએ કહ્યું હતું કે, પ્રાઈવેટ ડેવલોપર્સના અફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેક્ટસના ઉદ્ધાટન પછી જ મંત્રાલય આના પર વિચાર કરતી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધી અમે 2008 શહેરો અને નગરોમાં 17.73 લાખ શહેરી ગરીબો માટે આવાસોને મંજૂરી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્કીમ અંતર્ગત શરૂઆતના કેટલાક વર્ષો માટે ઘરને ભડા પર આપવામાં આવશે. ખરીદદારે પ્રત્યેક મહિને બેંકમાં EMIની જેમ નિશ્ચિત રકમ ભરવાની રહેશે. જેમાંથી કેટલીક રકમ ભાડા પેટે કપાશે જ્યારે બાકીની રકમ જમા થઈ જશે. ખરીદદાર પાસેથી જમા થયેલ રકમ જ્યારે મકાનની કિંમતના 10 ટકાએ પહોંચશે ત્યારે મકાન જે તે વ્યક્તિના નામે કરી દેવામાં આવશે. જો ભાડા પર લેનાર વ્યક્તિ આ રકમ જમા નથી કરાવી શકતો તો સરકાર આ મકાનને ફરી અન્યને વેચી દેશે. આ ઉપરાંત ભાડા સાથે જમા કરાયેલ રકમ ભાડુઆતને વ્યાજ વગર પાછી આપી દેવાશે.
મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ બોર્ડ એન્ડ અર્બન પોપર્ટી એવિએશન પ્રમાણે આ સ્કીમનું નામ 'રેંટ ટુ ઓન’ હશે. જેમાં કેન્દ્ર સરકારની નેશનલ અર્બન રેંટલ હાઉસીંગ પોલીસી અંતર્ગત લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય શહેરી વિકાસ તથા આવાસમંત્રી વેંકૈયા નાયડૂએ ગુરૂવારે કહ્યું કે આ વિધેયકને મંજૂરી માટે કેબિનેટ સામે મુકવામાં આવશે.
નવી દિલ્હીઃ શું તમે ભાડાના મકાનમાં રો છો? જો હા, તો તમારા માટે ખુશખબર છે. મોદી સરકાર એક એવો કાયદો લાવવાનું વિચારી રહી છે કે જે અંતર્ગત શહેરમાં આવનારા પ્રવાસી લોકોને સરકારી સંસ્થા પાશે ભાડા પર મકાન લેવાની સુવિધા મળશે. એટલું જ નહીં ભવિષ્યમાં તેની પાસે આ ભાડા મકાનને સરળ હપ્તે પૂરી કિંમત ચૂકવીને ખરીદવાનો પણ વિકલ્પ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -